જિયોફોન યુઝર્સ મહામારી દરમિયાન કનેક્ટેડ રહી શકે તે માટે રિલાયન્સ ફાઉન્ડેશન પ્રતિ મહિને ૩૦૦ મિનિટ આઉટગોઇંગ કોલ્સ તદ્દન નિ:શુલ્ક આપશે.

by Dr. Mayur Parikh

દરેક જિયોફોન પ્લાન સાથે બાય-વન-ગેટ-વન

મુંબઈ, 14 મે 2021: જિયોફોન દરેક ભારતીયોને ડિજિટલ લાઇફ પૂરી પાડવાના મિશન સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. કોવિડ મહામારીની મહામુશ્કેલીના સમયગાળામાં અમે એટલે કે જિયો દરેક વ્યક્તિ પોતાના સ્વજનો સાથે કનેક્ટેડ રહે એવું ઇચ્છીએ છીએ અને આ સુવિધા દરેક ગ્રાહકને મળે, ખાસ કરીને આપણા સમાજના વંચિત વર્ગને.

આ હેતુ સુનિશ્ચિત કરવા, જિયો મહામારીના સમયગાળામાં બે ખાસ પહેલની જાહેરાત કરે છે:

ભાયંદરમાં માછીમારની જાળમાં ફસાઈ વહેલ માછલી. માછીમારે વહેલ માછલીને છોડાવવા 15,000ની જાળી કાપી નાખી

હાલ ચાલી રહેલી મહામારીના કારણે જે જિયોફોન ગ્રાહકો રિચાર્જ નથી કરી શકતા તેમને જિયો રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી પ્રતિ મહિને ૩૦૦ મિનિટ (પ્રતિ દિવસ 10 મિનિટ) આઉટગોઇંગ કોલ્સ સમગ્ર મહામારીના સમયગાળા માટે તદ્દન નિ:શુલ્ક આપશે.

આ ઉપરાંત, દરેકને પોસાય તે માટે, જિયોફોન ગ્રાહકના દરેક JioPhone plan રિચાર્જ પર ગ્રાહકને એટલી જ કિંમતનો વધારાનો રિચાર્જ પ્લાન પણ તદ્દન નિઃશુલ્ક મળશે. ઉદાહરણ તરીકે, એક જિયોફોન યુઝર રૂ. 75નો પ્લાન રિચાર્જ કરે છે તો તેમને વધારાના રૂ. 75નો પ્લાન તદ્દન નિઃશુલ્ક મળશે.

દેશનાં આ રાજ્યમાં 18 જંગલી હાથીઓનાં નિપજ્યા મોત, તંત્ર થયું દોડતું
 

હાલના પડકારજનક સમયમાં રિલાયન્સ દરેક ભારતીયની સાથે ઊભા રહેવા માટે પ્રતિબદ્ધ છે અને મહામારીએ ઊભા કરેલા પડકારને પહોંચી વળવા માટે દરેક નાગરિકના પ્રયાસમાં સહભાગી થવા તમામ પ્રયત્નો કરશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More