Kotak Mahindra Bank Share Fall: બજાર ખુલતાની સાથે જ કોટક બેંકના શેરમાં જોરદાર ઘટાડો, RBIની કાર્યવાહી બાદ શેર 10% તૂટ્યા..

Kotak Mahindra Bank Share Fall: કોટક મહિન્દ્રા બેંકનો શેર આજે શેરબજારમાં ટ્રેડની શરૂઆત સાથે 10%ના ઘટાડા પછી આ સ્તરે પહોંચ્યો હતો, તે 9.08 ટકાના ઘટાડા સાથે રૂ. 1675ના સ્તરે આજે ખુલ્યો હતો અને માત્ર 5 મિનિટમાં જ ઘટાડો વધીને 10 ટકા થઈ ગયો હતો.

by Bipin Mewada
Kotak Mahindra Bank Share Fall As soon as the market opens, Kotak Bank shares fall sharply, after RBI's action, shares fall by 10%..

News Continuous Bureau | Mumbai

Kotak Mahindra Bank Share Fall: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ( RBI ) ની કાર્યવાહી બાદ ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેંકના શેર આજે તૂટ્યા હતા. શેરબજાર ખુલતાની સાથે જ બેંકના શેરમાં લગભગ 10 ટકાનો ઘટાડો થયો હતો. બુધવારે બજાર બંધ થયા પછી, સેન્ટ્રલ બેંકે બેંક સામે મોટી કાર્યવાહી કરી હતી. તેથી કોટક મહિન્દ્રા બેંકના શેરમાં શેરબજાર ખુલતાની સાથે જ ક્રેશ થઈ ગયા હતા. આ શેર BSE પર લગભગ 9 ટકા ઘટીને રૂ. 1675 પર ખુલ્યો હતો. થોડીવાર પછી તે ઘટીને 1659 રૂપિયા થઈ ગયો હતો. 

કોટક મહિન્દ્રા બેંકનો શેર  ગુરુવારે શેરબજારમાં ટ્રેડની શરૂઆત સાથે 10%ના ઘટાડા પછી આ સ્તરે પહોંચ્યો હતો, તે 9.08 ટકાના ઘટાડા સાથે રૂ. 1675ના ( Kotak Mahindra Bank share price ) સ્તરે આજે ખુલ્યો હતો અને માત્ર 5 મિનિટમાં જ ઘટાડો વધીને 10 ટકા થઈ ગયો હતો. કોટક બેન્કનો ( kotak bank nse ) સ્ટોક રૂ.184 ઘટી રૂ.1658 થયો હતો. આ પહેલા બુધવારે આ બેંકિંગ સ્ટોક લીલી ઝંડી સાથે બંધ થયો હતો.

 Kotak Mahindra Bank Share Fall: RBI ની કાર્યવાહી બાદ શેરમાં મોટો ઘટાડો…

કોટક મહિન્દ્રા બેંકના શેરમાં ઘટાડો થવા પાછળનું કારણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ( RBI ) એ બુધવારે કોટક મહિન્દ્રા બેંકને તાત્કાલિક અસરથી નવા ક્રેડિટ કાર્ડ જારી કરવાનું બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ સાથે ઓનલાઈન અને મોબાઈલ બેંકિંગ ચેનલો દ્વારા નવા ગ્રાહકો ઉમેરવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જેના કારણે આજે કોટક મહિન્દ્રા બેંકના શેરમાં ( Kotak share price ) 10%નો ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Dawoodi Bohra Case: બોમ્બે હાઈકોર્ટે દાઉદી બોહરા ઉત્તરાધિકારી કેસને ફગાવી દીધો, સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનના દાવાને સમર્થન આપ્યું..

આરબીઆઈએ કહ્યું કે કોટક મહિન્દ્રા બેંકના આઈટી રિસ્ક મેનેજમેન્ટ અને ઈન્ફોર્મેશન સિક્યુરિટી ઓપરેશન્સમાં ‘ગંભીર ખામીઓ’ મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આરબીઆઈને તેની તપાસમાં ઘણી ગંભીર ખામીઓ મળી હતી, જેને બેંકે દૂર કરી શકી નહતી.

આ મામલે રિઝર્વ બેંકે વર્ષ 2022 અને 2023માં બેંકનું આઈટી ઓડિટ પણ કરાવ્યું હતું, જેમાં આ ખામીઓને સમયસર અને યોગ્ય રીતે ઉકેલવા સૂચના પણ આપવામાં આવી હતી, પરંતુ સુચનાઓ આપવા છતાં બેંક આવુ કરવામાં સતત નિષ્ફળ રહી હતી.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More