KVIC khadi artisan : હોળીના તહેવાર નિમિત્તે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગે લાખો કારીગરોને વેતન વધારાની ભેટ આપી

KVIC khadi artisan : કેવીઆઇસીના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન મેળવેલી સિધ્ધિઓની માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે ખાદી કારીગરોના હિતમાં પંચે મહત્વનો નિર્ણય લીધો છે.

by kalpana Verat
KVIC khadi artisan KVIC gifts incentives to lakhs of khadi artisans on occasions of Holi

News Continuous Bureau | Mumbai

KVIC khadi artisan :

  • KVICના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે જાહેરાત કરી હતી કે 1 એપ્રિલ, 2025થી ખાદીના કારીગરોના વેતનમાં 20 ટકાનો વધારો કરવામાં આવશે
  • આ પહેલા 17 સપ્ટેમ્બર 2024ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે કારીગરોના વેતનમાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો
  • છેલ્લા 11 વર્ષમાં મોદી સરકારે ખાદી કારીગરોના વેતનમાં 275 ટકાનો ઐતિહાસિક વધારો કર્યો છે
  • નાણાકીય વર્ષ 2024-25માં ખાદી અને ગ્રામોદ્યોગના ઉત્પાદનોનું ઉત્પાદન અને વેચાણ અગાઉના તમામ રેકોર્ડ
    તોડી નાખશેઃ KVICના ચેરમેન
  • પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ‘ખાદી ક્રાંતિ’ની અસરથી પ્રયાગરાજ મહાકુંભમાં 12.02 કરોડ રૂપિયાના ખાદી ઉત્પાદનોનું ઐતિહાસિક વેચાણ થયું છેઃ KVIC અધ્યક્ષ

ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય, નવી દિલ્હી ખાતે મંગળવારે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC)ના રાજઘાટ કાર્યાલયમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેવીઆઇસીના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન મેળવેલી સિધ્ધિઓની માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે ખાદી કારીગરોના હિતમાં પંચે મહત્વનો નિર્ણય લીધો છે. 1 એપ્રિલ 2025થી ખાદી કારીગરોના વેતનમાં 20 ટકાનો વધારો કરવામાં આવશે. હાલમાં સ્પિનર્સને ચરખા પર હાંક દીઠ સ્પિનિંગ માટે 12.50 રૂપિયા મળે છે. જેમાં 1 એપ્રિલ 2025થી 2.50 રૂપિયાનો વધારો કરવામાં આવશે. વધેલા દર મુજબ, તેમને હવે કાંતેલા દીઠ રૂ.15 મળશે.

KVICના અધ્યક્ષે જાણકારી આપી હતી કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન ‘ખાદી ક્રાંતિ’એ કારીગરોના જીવનમાં વ્યાપક પરિવર્તન લાવ્યું છે. સરકારે સ્પિનર્સ અને વણકરની આવકમાં ઐતિહાસિક વધારો કર્યો છે.

1 એપ્રિલ 2023 ના રોજ વેતન 7.50 રૂપિયાથી વધારીને 10 રૂપિયા પ્રતિ હાંક (સૂતરની આંટી) કરવામાં આવ્યું હતું.
તે 17 સપ્ટેમ્બર 2024ના રોજ હાંક દીઠ રૂ .10 થી વધારીને રૂ.12.50 પ્રતિ હાંક કરવામાં આવી હતી. 

1 એપ્રિલ 2025થી તેને વધારીને 15 રૂપિયા પ્રતિ હાંક કરવામાં આવી રહ્યો છે.

છેલ્લા 11 વર્ષમાં મોદી સરકારે ખાદી કારીગરોના વેતનમાં 275 ટકાનો ઐતિહાસિક વધારો કર્યો છે.

KVICના અધ્યક્ષે માહિતી આપી હતી કે મહા કુંભ 2025 ના પ્રસંગે, 14 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી 2025 સુધી પ્રયાગરાજમાં રાષ્ટ્રીય સ્તરનું ખાદી અને ગ્રામોદ્યોગ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ‘ખાદી ક્રાંતિ’ની અસર સાથે, 12.02 કરોડ રૂપિયાના ખાદી ઉત્પાદનોનું ઐતિહાસિક વેચાણ થયું હતું.

આ પ્રદર્શનમાં 98 ખાદી અને 54 ગ્રામોદ્યોગના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા, જેમાં 9.76 કરોડની ખાદી અને 2.26 કરોડની ગ્રામોદ્યોગની પ્રોડક્ટનું વેચાણ થયું હતું.

પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી મનોજ કુમારે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીનાં ભારત મંડપમ ખાતે આયોજિત ‘ભારત ટેક્સ-2025’ દરમિયાન ‘ખાદી ફોર ફેશન’નો મંત્ર ‘ખાદી રેનેસાં’ માટે આપ્યો હતો. આ મંત્રને લોકો સુધી પહોંચાડવા અને ખાદીને આધુનિક ડ્રેસિંગ તરીકે લોકપ્રિય બનાવવાના હેતુથી કેવીઆઇસીએ તાજેતરમાં નાગપુર, પુણે, વડોદરા, ચેન્નાઇ, જયપુર અને પ્રયાગરાજ સહિત દેશના મોટા શહેરોમાં ભવ્ય ખાદી ફેશન શોનું આયોજન કર્યું હતું. તેમણે માહિતી આપી હતી કે, પ્રધાનમંત્રીની પ્રેરણા હેઠળ આયોજિત આ ફેશન શો મારફતે ‘નવા ભારતની નવી ખાદી’ ખાસ કરીને યુવા પેઢી સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે અત્યંત સફળ રહ્યો છે. તેનાથી ખાદીને એક નવું પરિમાણ મળ્યું છે અને તે એક આધુનિક વસ્ત્રના રૂપમાં પોતાની ઓળખ સ્થાપિત કરી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Ahmedabad Khadi Fashion Show : ઝોનલ સ્તરે માર્કેટિંગ પ્રદર્શન અને ખાદી ફેશન શોનું આયોજન

KVICના અધ્યક્ષે માહિતી આપી હતી કે, છેલ્લા 10 વર્ષમાં ખાદી અને ગ્રામોદ્યોગના ઉત્પાદનોના વેચાણમાં ઐતિહાસિક વધારો થયો છે. ખાદી અને ગ્રામોદ્યોગના ઉત્પાદનોનું વેચાણ નાણાકીય વર્ષ 2023-24માં 5 ગણું એટલે કે 31,000 કરોડ રૂપિયાથી વધીને 1,55,000 કરોડ રૂપિયા થયું છે. જ્યારે ખાદીના કપડાનું વેચાણ નાણાકીય વર્ષ 2023-24માં 6 ગણું એટલે કે 1081 કરોડ રૂપિયાથી વધીને 6496 કરોડ રૂપિયા થઈ ગયું છે. નાણાકીય વર્ષ 2023-24માં કુલ 10.17 લાખ નવા લોકોને રોજગાર મળ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી મળેલા આંકડા મુજબ નાણાકીય વર્ષ 2024-25માં ઉત્પાદન અને વેચાણનો નવો રેકોર્ડ બનાવવામાં આવશે. KVICના અધ્યક્ષે જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ખાદી ક્રાંતિની અસર સાથે ખાદી માત્ર એક ફેબ્રિક જ નહીં, પરંતુ ગ્રામીણ ભારતના આર્થિક સશક્તીકરણનો પાયો બની ગઈ છે.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More