Site icon News Continuous Bureau | Mumbai

LPG Price Crisis। ઓઇલ કંપનીઓ પર આર્થિક સંકટના વાદળો! દરેક ગેસ સિલિન્ડર પર અધધ આટલા નું નુકસાન, જાણો ગ્રાહકો પર શું થશે અસર

LPG Price Crisis। દેશમાં ઉર્જા બજારને સ્થિર રાખવા છતાં સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ભારે નાણાકીય દબાણ હેઠળ; એટીએફ (ATF) ના ભાવ પણ આગામી ત્રણ વર્ષ માટે નક્કી કરાયા.

LPG Price Crisis। ઓઇલ કંપનીઓ પર આર્થિક સંકટના વાદળો! દરેક ગેસ સિલિન્ડર પર અધધ આટલા  નું નુકસાન, જાણો ગ્રાહકો પર શું થશે અસર

LPG Price Crisis। ઓઇલ કંપનીઓ પર આર્થિક સંકટના વાદળો! દરેક ગેસ સિલિન્ડર પર અધધ આટલા નું નુકસાન, જાણો ગ્રાહકો પર શું થશે અસર

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

LPG Price Crisis। દેશના ઘરેલું ઉર્જા બજારને આર્થિક રીતે સ્થિર રાખવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સતત વિવિધ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આમ છતાં, સરકારી ક્ષેત્રની અગ્રણી ઓઇલ માર્કેટિંગ કંપનીઓને (OMCs) હાલમાં ભારે નાણાકીય દબાણ અને મોટો આર્થિક ફટકો સહન કરવો પડી રહ્યો છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, આ સરકારી કંપનીઓને અત્યારે વેચાતા દરેક ઘરેલું એલપીજી (LPG) સિલિન્ડર પર આશરે ૭૦૦ રૂપિયાનું મોટું નુકસાન થઈ રહ્યું છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય આંતરમંત્રાલય બ્રીફિંગ દરમિયાન આ ચિંતાજનક વિગતો જાહેર કરવામાં આવી છે.

ત્રણ દિવસમાં ૧.૪૩ કરોડ એલપીજી સિલિન્ડરનું વિતરણ, સ્થાનિક ઉત્પાદન વધારવા પર સરકારનો ભાર

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ એ પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું કે, સરકારે દેશભરમાં રાંધણ ગેસની અવિરત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ઘણા મહત્વના વ્યાપારી પગલાં લીધા છે. જેમાં ભારતમાં જ ગેસનું સ્થાનિક ઉત્પાદન વધારવું અને આંતરરાષ્ટ્રીય બજારમાંથી પૂરતા પ્રમાણમાં આયાત કરવાની વ્યવસ્થાઓ સામેલ છે. તેમણે ખુલાસો કર્યો કે દેશમાં એલપીજીની માંગ અને સપ્લાય વચ્ચેના તફાવતને ઘટાડવા માટે સપ્લાય ચેઈન મજબૂત કરાઈ છે, જેના ભાગરૂપે છેલ્લા ત્રણ દિવસમાં જ દેશભરમાં રેકોર્ડબ્રેક ૧,૪૩,००,००० (૧.૪૩ કરોડ) એલપીજી સિલિન્ડરોનું સફળતાપૂર્વક વિતરણ કરવામાં આવ્યું છે.

પશ્ચિમ એશિયાના તણાવ છતાં ક્રૂડ ઓઇલ અને ગેસનો સપ્લાય સ્થિ

ઓઇલ મંત્રાલયે દેશના નાગરિકોને આશ્વસ્ત કરતાં સ્પષ્ટ કર્યું છે કે પશ્ચિમ એશિયામાં (મિડલ ઈસ્ટ) ચાલી રહેલા ગંભીર ભૂ-રાજકીય તણાવ અને યુદ્ધની સ્થિતિ છતાં ભારત માટે ક્રૂડ ઓઇલ , એલપીજી અને કુદરતી ગેસનો આંતરરાષ્ટ્રીય સપ્લાય એકદમ સ્થિર છે. વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતની આયાત વ્યવસ્થા પ્રભાવિત થઈ નથી. આ ઉપરાંત, કેન્દ્ર સરકાર અને ઓઇલ કંપનીઓ પાસે વર્તમાન સમયમાં દેશની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો અનામત જથ્થો (સ્ટોક) ઉપલબ્ધ છે, જેથી નાગરિકોએ ગભરાવાની જરૂર નથી.

એરલાઇન્સ કંપનીઓને રાહત: એટીએફ (ATF) નો ભાવ આગામી ૩ વર્ષ માટે ૮૬.૩૨ પ્રતિ લીટર નક્કી કરાયો

ન્યૂઝ એજન્સી ના અહેવાલ મુજબ, એવિએશન સેક્ટરને આર્થિક કટોકટીમાંથી ઉગારવા માટે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે ઘરેલું એરલાઇન્સ કંપનીઓ માટે ઉપયોગમાં લેવાતા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એટલે કે વિમાનના ઇંધણની (ATF) કિંમત આગામી ત્રણ વર્ષ માટે ૮૬.૩૨ રૂપિયા પ્રતિ લીટર ફિક્સ (નક્કી) કરી દીધી છે. આ વિશેષ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય પશ્ચિમ એશિયાના સંકટના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા અસહ્ય વધારા વચ્ચે ભારતીય એરલાઇન્સ કંપનીઓને નાણાકીય રીતે સક્ષમ રાખવાનો છે, જેથી હવાઈ મુસાફરો માટે ટિકિટના દરો સામાન્ય અને સસ્તા જળવાઈ રહે.

👉 આ સમાચાર વાચો:
Indian Railways। રેલવે પ્લેટફોર્મ ટિકિટની આજુબાજુ કેમ હોય છે નાના કાણાં? ૯૯% લોકો નથી જાણતા આની પાછળનું વૈજ્ઞાનિક અને સરકારી કારણ

Uddhav Thackeray Jantar Mantar Visit દિલ્હીની ગાદી હલાવવા ઠાકરે પરિવાર રસ્તા પર! CJP આંદોલનને સમર્થન આપવા ઉદ્ધવ ઠાકરેના દિલ્હી પ્રવાસના શું છે રાજકીય માયના?
Rahul Gandhi Overnight Protest PM Residence PM આવાસ બહાર રાહુલ ગાંધીના આખી રાત ધામા? મોદી, શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગથી રાજકારણ ગરમાયું!
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Offline UPI Payments Flights Trains ઇન્ટરનેટ વગર થશે UPI પેમેન્ટ, NPCI વિકસાવી રહ્યું છે ‘TaptoPay’ ઓફલાઇન ટેકનોલોજી
Exit mobile version