ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ,7 એપ્રિલ 2021.
બુધવાર.
મહારાષ્ટ્ર માં વધતા કોરોના ને રોકવા રાજ્ય સરકારે આંશિક લોકડાઉન નો નિર્ણય કર્યો હતો, જેના અંતર્ગત જીવનાવશ્યક વસ્તુ ઓ સિવાય ની તમામ દુકાનો અને પ્રાઇવેટ ઓફીસો બંધ રહેશે. બંધના આદેશથી રોષે ભરાઈ ને મુંબઈ માં,ઠેક ઠેકાણે વેપારી અને દુકાનદારો એ દેખાવો કર્યા હતા અને લોકડાઉન નો ઓર્ડર પાછો ખેંચવાની માંગ કરી હતી.
મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ વેપારી ની માંગ પર વિચાર વિમર્શ કરવા આજે સાંજે 5 વાગે એક બેઠક યોજી છે. વેપારીઓ ના આ અલ્ટીમેટમ અંગે કેબિનેટની બિઝનેસ પેટા સમિતિ આજે બેઠક યોજાશે.
News Continuous analysis : ભાઈ!! આવું કેમ હશે? ટેક્સ ભરનાર દુકાનદારો બંધ. જ્યારે કે રસ્તા પર ફળ વેચનાર નું શું? જાણો સરકારની પરસ્પર વિરોધી દલીલો.. અને લોકોની સાથે થઇ રહેલો અન્યાય.
