News Continuous Bureau | Mumbai
FSSAI વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી કડક અને અન્યાયી કાર્યવાહી સામે વિરોધ કરવા માટે સમગ્ર મહારાષ્ટ્રના વેપારીઓ અને સંગઠનોએ ઓલ ઈન્ડિયા એડીબલ ઓઇલ ટ્રેડર્સ ફેડરેશનની આગેવાની હેઠળ સભા બોલાવી હતી. આ સામાન્ય સભામાં વિવિધ શક્યતાઓને ધ્યાનમાં લઈને ભાવિ રણનીતિ નક્કી કરવામાં આવી હતી.
ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના જનરલ સેક્રેટરી શંકર ઠક્કરે એક પરિપત્રમાં જણાવ્યું હતું કે, ગત દિવસોમાં FSSAI વિભાગે તેલ અને અન્ય ખાદ્ય ચીજોનું વેચાણ કરતા વેપારીઓ સામે અન્યાયી અને કડક પગલાં લીધા છે. સાથે જ તેમના ગોડાઉનમાં હાજર માલ જપ્ત કરી લેવામાં આવ્યો. જોકે, ખાસ વાત એ છે કે માલ છોડાવવાની જવાબદારી અધિકારીઓની નથી. આ અને અન્ય ગંભીર મુદ્દાઓ પર, ગઈકાલે નાલંદા હોલ, ચેમ્બુર, મુંબઈ ખાતે વેપારીઓની એક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 700 થી વધુ સંખ્યામાં વિવિધ સંગઠનોના પદાધિકારીઓ અને સભ્યો હાજર રહ્યા હતા.
વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કર્યા બાદ અને આ સમસ્યાના તમામ પાસાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ બેઠકમાં ઉપસ્થિત તમામ ઉદ્યોગપતિઓ અને સંસ્થાઓએ મળીને નીચે મુજબનો ઠરાવ પસાર કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો: સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી. દેશમાં બળજબરીથી કરાવવામાં આવતું ધર્મપરિવર્તન ગંભીર મુદ્દો, કેન્દ્ર સરકાર આ તારીખ સુધીમાં આપે જવાબ
- અમે FSSAI વિભાગ દ્વારા ભૂતકાળમાં લેવામાં આવેલા કડક અને અન્યાયી પગલાંની અને વારંવાર વિનંતીઓ કરવા છતાં સમસ્યાઓનું નિરાકરણ ન કરવા બદલ સખત ટીકા અને નિંદા કરીએ છીએ.
- ભારતભરના તમામ રાજ્યો અને તમામ સંગઠનોના સમર્થનથી એક સમિતિની રચના કરવામાં આવશે અને વિભાગના અન્યાયી વલણ સામે છેલ્લે સુધી લડત આપશે.
- તમામ વેપારીઓ 23મી નવેમ્બર એ પોતપોતાના શહેરોમાં મોરચો કાઢશે અને ધરણા કરશે. તેમ જ કલેક્ટર અને જનપ્રતિનિધિઓને આવેદનપત્ર આપશે.
- સમિતિના તમામ સભ્યો 23મીથી ઉપવાસ પર ઉતરશે.
- 25મી નવેમ્બર સુધી સરકાર કોઈ નિષ્કર્ષ પર નહીં પહોંચે તો 26મી નવેમ્બરથી સંપૂર્ણ બંધનું એલાન આપવામાં આવશે.
- આ અન્યાયી કાયદા સામે હાઈકોર્ટમાં રિટ પિટિશન પણ દાખલ કરવામાં આવશે.
આ બેઠકમાં નીચેની સંસ્થાઓ સામેલ હતી
- કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ, મહારાષ્ટ્ર ચેપ્ટર
- થાણા ફૂડ બેવરેજ એન્ડ સ્વીટ્સ એસોસિએશન
- પુણે રિટેલ મર્ચન્ટ્સ એસો
- ડ્રાય ફ્રુટ એન્ડ સ્પાઈસ મિલ એક્સપોર્ટ એસો
- માંડવી ગ્રાન્ડ મર્ચન્ટ ડીલર્સ એસો
- માંડવી ડ્રાય ફ્રુટ મસાલા મર્ચન્ટ એસોસિએશન નવી મુંબઈ
- મહારાષ્ટ્ર ડેરી પ્રોડક્ટ ડીલર્સ એસો
- માવા ઉત્પાદક સંઘ, આ સિવાય અન્ય ઘણી સંસ્થાઓએ પણ પોતાનો ટેકો જાહેર કર્યો છે પરંતુ કેટલાક કારણોસર હાજર રહી શક્યા નથી.
સંગઠનના જનરલ સેક્રેટરી તરુણ જૈને વેપારીઓને જણાવ્યું હતું કે સંગઠન દ્વારા લેવામાં આવેલા નિર્ણયને સમગ્ર મહારાષ્ટ્ર અને ખાસ કરીને સામાન્ય જનતા સુધી પહોંચાડવો જોઈએ, કારણ કે અમે જે મોટાભાગની માંગણીઓ કરી રહ્યા છીએ તે સામાન્ય જનતાના હિત માટે છે, તેથી સામાન્ય જનતાનું સમર્થન મેળવવાની જરૂર છે.
ડ્રાયફ્રુટ્સ એન્ડ સ્પાઈસીસ મીલ એક્સપોર્ટર્સ એસોસીએશનના સંજય અવારે જણાવ્યું હતું કે, આ પ્રકારની કાર્યવાહી વેપારીઓને હેરાન કરવાના ઈરાદાથી કરવામાં આવે છે અને અધિકારીઓનો હેતુ સ્પષ્ટ રીતે સમજાય છે, તેથી આપણે સૌએ સાથે મળીને લડાઈ લડવી પડશે અને ધંધાને બચાવવો પડશે.
આ સમાચાર પણ વાંચો: રસ્તા પર ઠેર ઠેર લાગતા હોર્ડિંગ્સ, ફ્લેક્સ, બેનર્સ લાગશે લગામ, મહારાષ્ટ્ર સરકારે પાલિકાને આપ્યા આ મહત્વપૂર્ણ નિર્દેશ
આ બેઠકમાં CAIT મહારાષ્ટ્રના વરિષ્ઠ પ્રમુખ મહેશ બખાઈ, મહારાષ્ટ્ર ડેરી પ્રોડક્ટ ડીલર્સ એસોસિએશનના કેવલ ચંદ જૈન, માંડવી મેવા મસાલાના મણિલાલ ગાલા, ધ મુંબઈ ગ્રાન્ડ ડીલર એસોસિએશનના પ્રમુખ રમણીક છેડા, મહારાષ્ટ્ર ફૂડ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ નંદકુમાર હેગિસ્તે, ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના ઉપપ્રમુખ સોહન જૈન, સોમચંદ સાકરિયા, ચિરાગ કેનિયા, સુભાષ ઠક્કર, કો-જનરલ સેક્રેટરી દીપક છેડા, મિતેશ સૈયા, જયંક ઠક્કર, સુમિત સાવલા, નાસિકથી પ્રકાશ પટેલ, સાંગલીથી સુનિલ ગુડ્ડે, કોલ્હાપુરથી કાપડિયા, પુણેથી રાજેશ લુંકડ, વર્ધાથી પીયૂષ જૈન, ઔરંગાબાદથી કચરા વેલુંજકર, ભરત કસબેકર અને અન્ય વરિષ્ઠ વેપારી આગેવાનો હાજર રહ્યા હતા.
Join Our WhatsApp Community