Site icon

બિઝનેસમેન મુકેશ અંબાણી તેમના ભાવિ પુત્રવધૂ સાથે ભગવાનના શરણે- નાથદ્વારા બાદ તિરુપતિ બાલાજીના કર્યા દર્શન- જુઓ વિડીયો  

News Continuous Bureau | Mumbai

દેશના જ નહીં પણ વિશ્વના પણ ટોચના બિઝનેસમેન મુકેશ અંબાણી(Mukesh Ambani)એ તેમના પરિવાર સાથે ભારતના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંના એક તિરૂમાલા વેંકટેશ્વર મંદિર(Tirumala Venkteshwar)ની મુલાકાત લીધી. મુકેશ અંબાણી(Mukesh Ambani) પુત્રવધુ રાધિકા મર્ચન્ટ(Radhika Merchant) સાથે મંદિરના દર્શને પહોંચ્યા હતા. 

Join Our WhatsApp Community

 

અંબાણી પરિવાર(Ambani Family) મંદિરમાં દર્શન માટે પહોંચ્યો ત્યારે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના એક્ઝિક્યુટિવ ઓફિસર ધર્મા રેડ્ડીએ અંબાણીનું સ્વાગત કરીને દર્શનની વ્યવસ્થા કરી હતી. દર્શન પછી રંગાનાયક મંડપ ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમણે આશીર્વાદ લીધા હતા.  

આ સમાચાર પણ વાંચો :  મુંબઈના પડોશી શહેર થાણેમાં પણ સાંબેલાધાર વરસાદ- ઠેર ઠેર ભરાયા પાણી- જુઓ વિડિયો

બિઝનેસમેન મુકેશ અંબાણીની સાથે તેમના સૌથી નાના પુત્ર અનંત અંબાણી(Anant Ambani) અને તેમની મંગેતર રાધિકા મર્ચન્ટ(Radhika Merchant) પણ હાજર રહ્યા હતા. અંબાણી પરિવારે ભગવાન વેંકટેશ્વરના દર્શન અને પૂજા કરી હતી. ત્યારબાદ અંબાણી તથા તેમના પરિવારજનોએ અભિષેક અને નિજપદ દર્શન સેવામાં ભાગ લીધો હતો. દર્શન બાદ અંબાણીએ મંદિરને 1.50 કરોડના દાનની જાહેરાત કરી હતી. તેમણે અહીંની ગૌશાળાની પણ મુલાકાત લીધી હતી.

ઉલેખનીય છે કે તાજેતરમાં મુકેશ અંબાણીએ નાથદ્વારા(Nathdwara)માં શ્રીનાથજી(Sree Nathji)ના દર્શન કર્યા હતા. 

Dubai Economy & Iran War: ઈરાનના હુમલાની દુબઈ પર શું થશે અસર? રિયલ એસ્ટેટ, ટુરિઝમ અને એરલાઈન્સ પર યુદ્ધની સીધી આંચ; જાણો વિગતવાર અહેવાલ
Gold and Silver Prices Skyrocket Amid Iran-US War: સોનું ખરીદતા પહેલા આ વાંચી લેજો! યુદ્ધના કારણે કિંમતોએ તોડ્યા તમામ રેકોર્ડ, ચાંદીમાં પણ ધરખમ ઉછાળો; જુઓ આજનો ભાવ વધારો
Share Market Crash Today: સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટું ગાબડું, રોકાણકારોના ₹૯ લાખ કરોડ ડૂબ્યા; જાણો બજાર તૂટવા પાછળના મુખ્ય કારણો.
Oil Crisis Amid Gulf War: યુદ્ધના મેદાનમાં તેલની રમત! અખાતી દેશોમાં તણાવથી ભારતની ચિંતા વધી, રશિયા સાથેની મિત્રતા બની શકે છે રક્ષક
Exit mobile version