Site icon News Continuous Bureau | Mumbai

નવા લોકડાઉનના ભયથી બજારમાં જોરદાર ઘરાકી નીકળી, મુંબઈના વેપારીઓ બંધમાં ન જોડાયા.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

26 ફેબ્રુઆરી 2021

જીએસટીની આંટીઘૂંટી અને કડક નિયમોના વિરોધમાં ભારતના તમામ વેપારીઓ દ્વારા બંધ નું એલાન કરવામાં આવ્યું છે. જોકે મુંબઇ શહેરમાં આ બંધની કોઈ અસર જોવા મળી નથી. મુંબઈ શહેરમાં એપીએમસી માર્કેટ, દાણા બજાર, મસ્જિદ બંદર ની માર્કેટ, હોલસેલ માર્કેટ તેમજ તમામ રીટેલ દુકાનો ખુલ્લી છે. 

વાત એમ છે કે મુંબઈ શહેરમાં વેપારીઓ નો ધંધો અત્યારે જામ્યો છે. લોકડાઉન ના ભયથી સ્થાનિક લોકો તેમજ નાના વેપારીઓ સાવધાની પૂર્વક ખરીદી કરી રહ્યા છે. ગત એક વર્ષથી વેપારીઓ ધંધો સંપૂર્ણ રીતે બંધ હતો જે હવે અત્યારે માંડ ગતિ પકડી રહ્યો છે. આ પરિસ્થિતિમાં બજારો બંધ રાખવાનો કોઈ અર્થ નથી એવું વેપારીઓને લાગે છે. આ સંદર્ભે વધુ જણાવતાં કેમિટ તેમજ સુફીના પદાધિકારી મીતેશ પ્રજાપતિ એ ન્યુઝ કંટીન્યૂઝ ને જણાવ્યું કે હાલ ધંધો બંધ રાખવાનો કોઈ અર્થ નથી. સરકાર દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓથી અમે પરેશાન છીએ પરંતુ અમે અમારા હાથે કાળી પટ્ટી બાંધીને વેપાર કરીશું. છેલ્લા એક વર્ષથી ધંધો બંધ હોવાને કારણે અનેક વેપારીઓ ની કમર ભાંગી ગઇ છે. આ પરિસ્થિતિમાં અમે બંધમાં સહભાગ નહીં લઈએ.

આમ મુંબઈ શહેર તેમજ તેની આસપાસના વિસ્તારોમાં વેપારીઓનો બંધ દેખાઇ નથી રહ્યો.

Mukesh Ambani Net Worth।મુકેશ અંબાણી પાસેથી છીનવાયો એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિનો તાજ; નેટવર્થ ઘટતા અબજોપતિઓની યાદીમાં મોટો ઉલટફેર
New Economic Threat। સામાન્ય માણસનું બજેટ ખોરવાશે! પેટ્રોલડીઝલ બાદ હવે રસોડા પર મોંઘવારીનો ડબલ એટેક; શાકભાજીથી લઈને અનાજ બધું જ મોંઘું થવાના એંધાણ
West Asia Crisis| અમેરિકાઈરાન વિવાદ વચ્ચે આરબીઆઈનો મોટો નિર્ણય, વિદેશી હૂંડિયામણ વધારવા લીધું પગલું
Electric Two Wheeler Sales May 2026| પેટ્રોલના વધતા ભાવ વચ્ચે ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ વધી, મે મહિનાના આંકડાએ ચોંકાવ્યા
Exit mobile version