કપડાં અને પગરખાં પર 12% GST ના વિરોધમાં આ અસોસિયેશનના નેતૃત્વમાં થશે રાષ્ટ્રવ્યાપી આંદોલન; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 નવેમ્બર  2021

શુક્રવાર.

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલ દ્વારા કપડાં અને ફૂટવેર પર લાગુ કરવામાં આવેલા 12 ટકા GSTનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. GST કાઉન્સિલના નિર્ણયનો અમલ કરતી વખતે કેન્દ્ર સરકારે કાપડ અને ફૂટવેર જેવી મૂળભૂત વસ્તુઓ પરના GSTના દરમાં ઘટાડો કર્યો છે. 5% થી વધારીને 12% કરવાની સૂચનાનો દિલ્હી સહિત દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. તેની સામે કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ દેશભરમાં એક મોટું અભિયાન ચલાવવાનું નક્કી કર્યું છે, જેની આગેવાની કપડાના વેપારના બહુ જૂના સંગઠન  દિલ્હી હિન્દુસ્તાની મર્કેન્ટાઇલ એસોસિએશન અને ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ એસોસિએશનના બેનર હેઠળ કરવામાં આવવાની છે. આ અભિયાનમાં કાપડ અને ફૂટવેર ઉપરાંત તમામ પ્રકારના વેપારના વેપારી સંગઠનો, કામદારો, તેમની સાથે સંકળાયેલા કર્મચારીઓ પણ ભાગ લેશે.

 

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)na દિલ્હી પ્રદેશ પ્રમુખ શ્રી વિપિન આહુજા અને રાજ્ય મહામંત્રી શ્રી દેવરાજ બાવેજાએ મીડિયાને જણાવ્યું હતું કે રોટી, કપડા અને મકાન એ જીવનની મૂળભૂત બાબતો છે! રોટલી પહેલેથી જ ખૂબ મોંઘી થઈ ગઈ છે, ઘર ખરીદવાની સ્થિતિ સામાન્ય માણસની નથી અને જે કાપડ સસ્તુ હતું તે પણ જીએસટી કાઉન્સિલે મોંઘું કરી દીધું છે. આ માટે માત્ર કેન્દ્ર સરકાર જ નહીં પરંતુ રાજ્ય સરકારો પણ સંપૂર્ણ રીતે દોષિત છે કારણ કે આ નિર્ણયો GST કાઉન્સિલમાં સર્વસંમતિથી લેવામાં આવ્યા છે. કપડાં અને પગરખાં પર GSTના વધેલા દરને તાત્કાલિક પાછો ખેંચવો જોઈએ. કોવિડને કારણે ધંધો પહેલાથી ચોપટ થયો હતો. ગાડી માંડ પાટે ચઢી છે ત્યારે જીએસટીના દરમાં વધારો કરીને ધંધાને ફરી મૃતપાય અવસ્થામાં લઈ જવાનું કામ સરકાર કરી રહી છે. 

ગાંજા વેચનારી આ ઓનલાઈન પોર્ટલ સામે સોશિયલ પ્લેટફોર્મ ટ્વીટર પર ટ્રોલિંગ; જાણો વિગત

CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી બીસી ભરતિયા અને રાષ્ટ્રીય મહાસચિવ શ્રી પ્રવીણ ખંડેલવાલે મીડિયાને જણાવ્યું હતું કે સૂત્રોના જણાવ્યા અનુસાર, એવું જાણવા મળ્યું છે કે GSTની ફિટમેન્ટ કમિટીએ સોનાના આભૂષણો પર GSTનો દર 3% થી વધારીને 5% કર્યો છે અને વર્તમાન GST 5% થી 7%, 12% થી 14% અને 18% થી 20% કરવાની ભલામણ કરી છે. તેમણે કહ્યું કે કર દરમાં આ પ્રસ્તાવિત વધારો અત્યંત અતાર્કિક અને બિનવ્યવહારુ  છે. કપડા અને ફૂટવેરમાં વધારાના મામલે દેશના કોઈપણ વેપારી સંગઠન સાથે ચર્ચા કરવામાં આવી નહોતી. જે રીતે જીએસટીના સ્વરૂપને સતત વિકૃત કરવામાં આવી રહ્યું છે અને ‘વન નેશન-વન ટેક્સ’ની મજાક કરવામાં આવી રહી છે, તે અત્યંત નિંદનીય છે!  

આ વધારા સામે દેશભરના વેપારીઓ એકઠા થયા છે અને એક મોટા આંદોલનની તૈયારી કરવા માટે 28મી નવેમ્બરે CAIT દ્વારા દેશના તમામ રાજ્યોના કપડાં અને ફૂટવેરના વેપારીઓ અને તમામ રાજ્યોના અગ્રણી બિઝનેસ લીડર્સનો ઓનલાઈન મીટિગ કરવામા આવવાની છે, જેમાં આંદોલનની રણનીતિ નક્કી કરવામાં આવશે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More