વરસાદ ને કારણે કાંદા- બટેટાના ભાવમાં ઘટાડો, ઘરાકી ઓછી અને નવો માલ પણ ઓછો આવ્યો. 

by Dr. Mayur Parikh
WPI: મોંઘવારીના મોરચે મોટી રાહત: જુલાઈ 2020 પછી પહેલીવાર જથ્થાબંધ ફુગાવો શૂન્યની નીચે પહોંચ્યો, ખાદ્યપદાર્થોના ભાવમાં પણ ઘટાડો.. જાણો આંકડા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 4 ડિસેમ્બર 2021

શનિવાર 

નવી મુંબઈની એપીએમસીની જથ્થાબંધ બજારમાં અઠવાડિયા પહેલાં કાંદાનો ભાવ ૧૭થી ૨૭ રૃપિયા કિલોની આસપાસ હતો. આ ભાવમાં લગભગ ચાર રૃપિયાનો ઘટાડો થયો છે. આવી જ રીતે લસણના ભાવમાં કિલોએ આઠ રૃપિયા અને બટેટાના ભાવમાં બે રૃપિયાનો ઘટાડો થયો છે. માર્કેટના અગ્રણી અશોક વાળુંજે જણાવ્યું હતું કે કાંદા, બટેટા, લસણની આવક મોટા પ્રમાણમાં વધવા માંડતા ભાવ ગગડવા માંડયા છે. એ.પી.એમ.સી.માં દરરોજ લગભગ ૧૨૫ ટ્રક ભરીને કાંદા ઠલવાવા  લાગ્યા છે. એ.પી.એમ.સી. બજારમાં અત્યારે કાંદાનો ભાવ ૧૪થી ૨૨ રૃપિયે કિલો, બટેટાનો ભાવ ૯થી ૧૮ રૃપિયે કિલો થઈ ગયો છે. લસણની કિંમતમાં આઠ રૃપિયા ઘટાડો થવાથી ૨૦થી ૪૫ રૃપિયે કિલો જથ્થાબંધના ભાવે વેંચાય છે.શાકભાજીના વધતા ભાવને લીધે વધુ આર્થિક બોજાે સહન કરતા લોકોને કાંદા, બટેટા અને લસણની કિંમતમાં ઘટાડાથી થોડી રાહત થઈ છે. શાકભાજીના વધતા ભાવને લીધે વધુ આર્થિક બોજાે સહન કરતા લોકોને કાંદા, બટેટા અને લસણની કિંમતમાં ઘટાડાથી થોડી રાહત થઈ છે.

પરવરીશ ના નિયમો : બાળકના વિકાસમાં ઘરની બહારના પરિબળો મોટી ભૂમિકા ભજવે છે. કઈ રીતે? શું ધ્યાન રાખવી. જાણો અહીં..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More