Onion Price: ડુંગળીના ભાવ આસમાને! એક સપ્તાહમાં 18 ટકાનો વધારો, આ તારીખ સુધી ભાવ ઊંચા રહેશે..

Onion Price: દેશમાં તહેવારોની સિઝનમાં ડુંગળીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. દિલ્હીથી મહારાષ્ટ્ર સુધી જથ્થાબંધ તેમજ છૂટક બજારોમાં ડુંગળીના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં સારી ગુણવત્તાવાળી ડુંગળીની કિંમત 50 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. ડુંગળીના ભાવ વધવાનું કારણ ખરીફ પાકમાં વિલંબ હોવાનું માનવામાં આવે છે.

by NewsContinuous Bureau
Onion Price: Onion prices up by 50%; high demand, low supply to blame high demand, low supply to blame

News Continuous Bureau | Mumbai

Onion Price: ડુંગળીના ભાવમાં  ( Onion prices ) સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં ( 10 days ) ભારતીય બજારોમાં ( Indian markets ) ડુંગળીના ભાવમાં 50 ટકાનો વધારો જોવા મળ્યો છે. 35 થી 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી ડુંગળીનો ભાવ 50 થી 70 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. અહેવાલો અનુસાર દિવાળી સુધી ડુંગળીના ભાવમાં વધુ વધારો થશે.

આ સમાચાર પણ વાંચો : IMC 2023: ભારત 6Gમાં બનશે વર્લ્ડ લીડર! પહેલા તો 10-12 વર્ષમાં સરકાર જ હેંગ થઈ જતી હતી..PM મોદીનો કોંગ્રેસ પર કટાક્ષ.. જાણો બીજુ શું કહ્યું પીએમ મોદીએ..વાંચો વિગતે અહીં..

ભાવ પહોંચ્યા આસમાને

છેલ્લા 15 દિવસમાં, મહારાષ્ટ્રના લાસલગાંવ APMCમાં ડુંગળીના ભાવમાં 50% થી વધુનો વધારો થયો છે, જે ડુંગળીના ભાવ માટે બેન્ચમાર્ક માનવામાં આવે છે. એક સપ્તાહમાં ડુંગળીના ભાવમાં 18 ટકાનો વધારો થયો છે. મીડિયા રિપોર્ટ્સમાં આવો દાવો કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, મંગળવારે લાસલગાંવ મંડીમાં ડુંગળીની સરેરાશ કિંમત 45 રૂપિયા પ્રતિ કિલો હતી.

લાસલગાંવ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી અથવા APMC માર્કેટમાં છેલ્લા 15 દિવસમાં ડુંગળીના જથ્થાબંધ ભાવમાં લગભગ 60%નો વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં તેની કિંમતમાં 18%નો વધારો થયો છે. બુધવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ડુંગળીના છૂટક ભાવમાં 25-50%નો વધારો થયો હતો. આ બજારમાં ડુંગળી 50 થી 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. ડિસેમ્બર સુધી ડુંગળીના ભાવ ઉંચા રહેશે તેવું કૃષિ તજજ્ઞોનું માનવું છે.

આ વર્ષે લાંબા વરસાદના કારણે પ્રથમ વાવેતર વેડફાઈ ગયું હતું. પરંતુ બીજી વખત વાવેતર પાણીમાં ગયું હતું. તે પછી, નવા પાકના વાવેતરમાં બે મહિનાનો વિલંબ થયો. પરિણામે દિવાળીના પર્વે આવતી ડુંગળી હવે બે મહિના મોડી પહોંચશે. હાલમાં બજારમાં ડુંગળીની આવક ઘટી છે. નવરાત્રિ બાદ ડુંગળીની માંગ વધી છે. પરંતુ બજારમાં માત્ર 20% સારી ગુણવત્તાવાળી ડુંગળી છે.

આ વધારો ડિસેમ્બર સુધી ચાલુ રહેશે

નવરાત્રિની શરૂઆત સાથે જ ડુંગળીના ભાવ વધવા લાગ્યા કારણ કે ઘણા લોકો નવરાત્રિ દરમિયાન ડુંગળીનું સેવન કરતા નથી. આવી સ્થિતિમાં તે સમયે વધેલા ભાવની કોઈ ખાસ અસર જોવા મળી ન હતી, પરંતુ નવરાત્રીના અંત સાથે ડુંગળીનો વપરાશ પણ વધી ગયો હતો. હવે ડુંગળીની વધેલી કિંમત લોકોને ઘણી પરેશાન કરી રહી છે, પરંતુ જાણકારી માટે તમને જણાવી દઈએ કે ડુંગળીના ભાવ થોડા દિવસો સુધી ઘટશે નહીં પરંતુ હજુ વધુ વધવાની શક્યતાઓ છે. જ્યાં સુધી ડુંગળીનો નવો પાક નહીં આવે ત્યાં સુધી ડુંગળીના વધેલા ભાવ લોકોને પરેશાન કરતા રહેશે. ડિસેમ્બરના અંતિમ દિવસોમાં નવી ડુંગળી બજારમાં આવવાની શરૂઆત થાય ત્યારે જ ડુંગળીના ભાવ ઘટે તેવી શક્યતા છે.

આ સમાચાર પણ વાંચો : Malad : મલાડમાં બનશે નોયડા જેવો થીમ પાર્ક, પાલિકાએ માર્વેમાં 63 દુકાનો અને ઝૂંપડાંઓ પર ચલાવ્યું બુલડોઝર..

મોંઘી ડુંગળીનું આ છે કારણ

દિવાળી જેવા મહત્વના તહેવારો નજીક છે ત્યારે ફરી ડુંગળી પચાસ પર પહોંચી જતા સામાન્ય લોકોમાં નિરાશા વ્યાપી હતી. પરંતુ હવે ડુંગળીના કિસ્સામાં ભાવ વધારો આગામી થોડા દિવસોમાં મૂળ સ્થિતિમાં આવે તેવી સંભાવના કૃષિ નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. પરિણામે ડુંગળી 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. બજારમાં અછતના કારણે ડુંગળીના ભાવમાં વધારો થયો હોવાનું કહેવાય છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More