News Continuous Bureau | Mumbai
પેટ્રોલ ડીઝલ(Petrol-diesel)ની વધતી જતી કિંમતોના વિરોધમાં મહારાષ્ટ્ર(Maharashtra)ના સોલાપુર(Solapur)માં ગુરૂવારે એક રૂપિયે પ્રતિ લીટર પેટ્રોલ (Petrol)વેચાયું હતુ. જોકે ડો. બી. આર આંબેડકર(Dr Babasaheb Ambedkar)ની જયંતિ પર એક સ્થાનિક સંગઠને ૫૦૦ લોકોને પેટ્રોલ ૧ રૂપિયે પ્રતિ લીટરના ભાવે પેટ્રોલ વેચ્યું હતું.
તમામ ખરીદદારને ફક્ત એક લીટર ઇંધણ (Fuel)આપવામાં આવ્યું હતું. આ દરમિયાન પેટ્રોલ પંપ લોકોની ભીડ ઉમટી હતી. ભીડ પર કાબૂ મેળવવા માટે પોલીસ પણ તૈનાત કરવામાં આવી હતી. કાર્યક્રમનું આયોજન ડો. આંબેડકર સ્ટૂડેન્ટ્સ એન્ડ યૂથ પેંથર્સે કર્યું હતું. સંગઠનની રાજ્ય એકમના નેતા મહેશ સર્વગોડાએ કહ્યું કે મોંઘવારી ઝડપથી વધી રહી છે. નરેન્દ્ર મોદી સરકાર(Modi Govt)ના અંતગર્ત પેટ્રોલના ભાવ ૧૨૦ રૂપિયે પ્રતિ લીટર સુધી પહોંચી ગયા છે. એટલા માટે લોકોને રાહત આપવા અને
આ સમાચાર પણ વાંચો : PM મોદીના આમંત્રણ પર આવતીકાલે ભારત આવી રહ્યાં છે આ દેશના પ્રધાનમંત્રી, થઇ શકે છે મહત્વના કરાર
ડો. બાબાસાહેબની જયંતિની ઉજવણી માટે અમે એક રૂપિયા દરથી પેટ્રોલ (Petrol)આપવાનો ર્નિણય કર્યો હતો. વધુમાં મહેશ સર્વગોડાએ કહ્યું કે જો અમારા જેવા નાના સંગઠન ૫૦૦ લોકોને રાહત આપી શકે છે, તો સરકારે પણ આપવી જોઈએ. તો બીજી તરફ એક રૂપિયાના દરથી પેટ્રોલ ખરીદનારા એક ગ્રાહકે કહ્યું કે પેટ્રોલના ભાવ દરરોજ નવી ઊંચાઈએ પહોંચી રહ્યા છે, એવામાં મોંઘવારી વચ્ચે થોડા પૈસા બચાવીને ખુશ છું.
અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલ(Petrol-Diesel price)ના ભાવ રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા છે. તેના લીધે મોંઘવારી સતત વધી રહી છે. ઇંધણ(Fuel Rate)ની વધતી જતી કિંમતોને લઇને કેંદ્રએ ચોતરફ ટીકાઓ સહન કરવી પડે છે. તો બીજી તરફ કેન્દ્ર સરકારે હાલ પેટ્રોલ અને ડીઝલ પર લાગનાર એક્સાઇઝ ડ્યૂટી પર કાપ મુકવાની સંભાવનાની મનાઇ કરી દીધી છે.