વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ પેમેન્ટ માટે લૉન્ચ કર્યુ ઇ-રૂપી, જાણો ક્યાં ક્યાં કરી શકાશે ઉપયોગ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૦૨ ઓગસ્ટ, ૨૦૨૧

સોમવાર

પીએમ નરેન્દ્ર મોદીએ પેમેન્ટના કેશલેસ અને કોન્ટેક્ટલેસ પદ્ધતિ ઇ-રૂપીને લોન્ચ કર્યું છે.

ઇ-રૂપીએ કેશ અને કોન્ટેક્ટ લેસ પેમેન્ટ કરવા માટેનું એક સરળ અને સુરક્ષિત માધ્યમ છે. 

તે ક્યુ આર કોડ અને એસએમએસ સ્ટ્રિંગના આધારે ઈ- વાઉચરના સ્વરૂપમાં કામ કરશે. 

લોકો આ સેવા અંતર્ગત કાર્ડ, ડિજિટલ પેમેન્ટ એપ અથવા તો ઇન્ટરનેટ બેન્કિંગના એક્સેસ વગર પણ પેમેન્ટ કરી શક્શે.

ઉલ્લેખનીય છે કે ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન ઇ-રૂપી શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ ઓનલાઇન પેમેન્ટને વધુ સરળ અને સુરક્ષિત બનાવવાનો છે.

આ પ્લેટફોર્મ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા નાણાકીય સેવાઓ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રીય આરોગ્ય સત્તા મંડળ સાથે મળીને વિકસાવવામાં આવ્યું છે.

સૌથી મોટા સમાચાર : દુકાનો રાત્રે 8:00 સુધી ખુલી રહેશે. આજે આવશે નોટિફિકેશન

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More