PM SVANidhi: PM SVANidhi: શું પૈસાના અભાવે ધંધો અટકી પડ્યો છે? હવે ગેરંટી વગર સરકાર આપશે ₹90,000, જાણો આખી પ્રોસેસ

હવે કોલેટરલ કે જામીન વિના મળશે આર્થિક મદદ, 2030 સુધી લંબાવાઈ યોજના, માત્ર આધાર કાર્ડની પડશે જરૂર.

by aryan sawant
PM SVANidhi PM SVANidhi શું પૈસાના અભાવે ધંધો અટકી

News Continuous Bureau | Mumbai

PM SVANidhi આજના સમયમાં ઘણા લોકો એવા છે જેમના મનમાં પોતાનો વ્યવસાય શરૂ કરવાનો વિચાર તો છે, પરંતુ હાથમાં પૂરતી મૂડી નથી. કોરોના કાળમાં ઘણા નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સના ધંધા પડી ભાંગ્યા હતા. જો તમે પણ આર્થિક તંગીને કારણે આગળ નથી વધી શકતા, તો ચિંતા કરવાની જરૂર નથી. કેન્દ્ર સરકાર એક એવી શાનદાર સ્કીમ લાવી છે જેમાં તમારે કશું જ ગીરવે મુકવાની કે કોઈ પણ પ્રકારની ગેરંટી આપવાની જરૂર નથી. આ યોજના ખાસ કરીને નાના માણસોને પગભર કરવા માટે બનાવવામાં આવી છે.

પીએમ સ્વનિધિ યોજનામાં હવે લોન મર્યાદા વધીને ₹90,000 થઈ

Text: આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય નાના ધંધાર્થીઓને મદદ કરવાનો છે. અગાઉ આ સ્કીમ હેઠળ લોનની મર્યાદા ઓછી હતી, પરંતુ તાજેતરમાં થયેલા ફેરફાર મુજબ વર્ષ 2025 માં આ મર્યાદા વધારીને ₹90,000 કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, સરકારે આ યોજનાનો સમયગાળો પણ વધારી દીધો છે. હવે આ યોજના 31 માર્ચ, 2030 સુધી ચાલુ રહેશે. જેનો સીધો અર્થ એ છે કે તમારી પાસે તમારા સપના પૂરા કરવા માટે પૂરતો સમય છે. નાણાકીય સેવાઓ વિભાગ અને શહેરી બાબતોનું મંત્રાલય સાથે મળીને આ યોજનાનું સંચાલન કરી રહ્યા છે, જેથી છેવાડાના માનવી સુધી મદદ પહોંચી શકે.

પીએમ સ્વનિધિ લોન મેળવવાની ‘થ્રી સ્ટેપ ફોર્મ્યુલા’ અને પ્રોસેસ

Text : સરકાર આ રકમ એકસાથે આપવાને બદલે તમારી શાખના આધારે ત્રણ અલગ અલગ તબક્કામાં આપે છે. આ સિસ્ટમ એક સીડી જેવી છે.

પ્રથમ હપ્તો: જ્યારે તમે પહેલીવાર અરજી કરો છો, ત્યારે નાનો ધંધો શરૂ કરવા માટે તમને ₹15,000 ની સહાય મળે છે.

બીજો હપ્તો: જો તમે લીધેલી રકમ નિયત સમયમર્યાદામાં પરત ભરો છો, તો બેંકનો તમારા પર ભરોસો વધે છે અને બીજા તબક્કામાં તમને ₹25,000 ની લોન મળે છે.

ત્રીજો હપ્તો: આ બંને લોન સફળતાપૂર્વક ચૂકવ્યા બાદ, તમે ₹50,000 ની મોટી રકમ મેળવવા માટે પાત્ર બની જાઓ છો. આમ કુલ મળીને તમે ₹90,000 સુધીની આર્થિક સહાય મેળવી શકો છો અને તે પણ EMI દ્વારા સરળતાથી ચૂકવી શકાય છે.

આ સમાચાર પણ વાંચો : Zohran Mamdani: ટ્રમ્પ-મમદાનીની બેઠક બાદ પણ તણાવ, મેયરે ટ્રમ્પ વિરુદ્ધ પોતાના જૂના નિવેદનનો કર્યો બચાવ.

પીએમ સ્વનિધિ માટે માત્ર ‘આધાર કાર્ડ’ છે કાફી, જાણો અરજી પ્રક્રિયા

Text : સામાન્ય રીતે બેંક લોન લેવા માટે ઘણા બધા દસ્તાવેજોની જરૂર પડતી હોય છે, પરંતુ આ સરકારી યોજનાની ખાસિયત એ છે કે અહીં પેપરવર્ક નહિવત છે. તમારે કોઈ કોલેટરલ આપવાની જરૂર નથી. અરજી કરવા માટે તમારી પાસે માત્ર તમારું આધાર કાર્ડ હોવું જરૂરી છે. તમે તમારી નજીકની કોઈપણ સરકારી બેંકમાં જઈને પીએમ સ્વનિધિનું ફોર્મ ભરી શકો છો. ફોર્મની સાથે આધાર કાર્ડની નકલ જોડવાની રહેશે. બેંક તમારી વિગતો વેરીફાય કરશે અને મંજૂરી મળતા જ પૈસા સીધા તમારા બેંક ખાતામાં જમા થઈ જશે. તાજેતરના ડેટા મુજબ કરોડો લોકોએ આનો લાભ લીધો છે અને ડિજિટલ પેમેન્ટ તરફ વળ્યા છે.

 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More