Site icon

PSUs : આ 5 સરકારી બેંકોમાં સરકારનો હિસ્સો ઘટશે, કારણ છે સેબીનો એક નિયમ..

PSUs Bank of Maharashtra, UCO Bank, among 5 PSUs to reduce govt shareholding amid MPS norms

PSUs Bank of Maharashtra, UCO Bank, among 5 PSUs to reduce govt shareholding amid MPS norms

News Continuous Bureau | Mumbai

  PSUs : કેન્દ્ર સરકાર બેંક ઓફ મહારાષ્ટ્ર ( Bank of Maharashtra )  ઇન્ડિયન ઓવરસીઝ બેંક (IOB) અને UCO બેંક ( UCO bank ) સહિત પાંચ બેંકોમાં હિસ્સો વેચશે. વાસ્તવમાં, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટલે કે SEBIના ન્યૂનતમ પબ્લિક શેરહોલ્ડિંગ ( Minimum Public Shareholding )  (MPS) ધોરણો હેઠળ, કેન્દ્ર સરકાર આ બેંકોમાં હિસ્સો ઘટાડીને 75 ટકાથી નીચે લાવવાનું આયોજન કરી રહી છે. કુલ 12 જાહેર ક્ષેત્રની બેંકો (PSBs)માંથી, ચારે જ 31 માર્ચ, 2023 સુધીમાં જાહેર શેરહોલ્ડિંગના ધોરણોનું પાલન કર્યું છે.

જાણો કઈ બેંકમાં કેટલો હિસ્સો છે

હાલમાં દિલ્હી સ્થિત પંજાબ એન્ડ સિંધ બેંકમાં સરકારનો હિસ્સો 98.25 ટકા છે. ચેન્નાઈની ઈન્ડિયન ઓવરસીઝ બેન્કમાં સરકારનો હિસ્સો 96.38 ટકા, યુકો બેન્કમાં 95.39 ટકા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં 93.08 ટકા, બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં 86.46 ટકા છે.

નાણાકીય સેવા સચિવે શું કહ્યું?

નાણાકીય સેવા સચિવ વિવેક જોશીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું- ચાલુ નાણાકીય વર્ષમાં, વધુ ત્રણ PSBs એ લઘુત્તમ 25 ટકા જાહેર શેરહોલ્ડિંગ ( Share holding ) નું પાલન પૂર્ણ કર્યું છે. બાકીની પાંચ જાહેર ક્ષેત્રની બેંકોએ એમપીએસ ધોરણોને પહોંચી વળવા માટે એક્શન પ્લાન તૈયાર કર્યા છે. બેન્કો પાસે હિસ્સો ઘટાડવા માટે ઘણા વિકલ્પો છે, જેમાં ફોલો-ઓન પબ્લિક ઓફરિંગ (FPO) અથવા ક્વોલિફાઇડ સંસ્થાકીય પ્લેસમેન્ટનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે બજારની સ્થિતિના આધારે આ દરેક બેંકો શેરધારકોના શ્રેષ્ઠ હિતમાં નિર્ણય લેશે. કોઈ સમયમર્યાદા જણાવ્યા વિના, તેમણે કહ્યું કે આ જરૂરિયાતને પૂર્ણ કરવાના પ્રયાસો ચાલુ છે.

આ સમાચાર પણ વાંચો : Ranji Trophy Final : વિદર્ભને હરાવીને મુંબઈ 42મી બની વખત ચેમ્પિયન, આ ખેલાડીને મળ્યો ‘મેન ઓફ ધ મેચ’નો એવોર્ડ મળ્યો

તમને જણાવી દઈએ કે સેબી અનુસાર, તમામ લિસ્ટેડ કંપનીઓ માટે પબ્લિક શેરહોલ્ડિંગ નિયમોનું પાલન કરવું જરૂરી છે. જોકે, રેગ્યુલેટરે જાહેર ક્ષેત્રની બેંકોને વિશેષ છૂટ આપી છે. તેમની પાસે 25 ટકા પબ્લિક શેરહોલ્ડિંગના ધોરણને પહોંચી વળવા ઓગસ્ટ 2024 સુધીનો સમય છે.

ગોલ્ડ લોન પોર્ટફોલિયો સમીક્ષા

નાણાકીય સેવા સચિવ વિવેક જોશીએ જણાવ્યું હતું કે નાણા મંત્રાલયે તમામ જાહેર ક્ષેત્રની બેંકોને તેમના ગોલ્ડ લોન પોર્ટફોલિયોની સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો છે કારણ કે નિયમનકારી ધોરણોનું પાલન ન કરવાના કિસ્સાઓ સરકારના ધ્યાન પર આવ્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસિસ (DFS) એ જાહેર ક્ષેત્રની બેંકોના વડાઓને પત્ર લખીને તેમની સિસ્ટમ અને ગોલ્ડ લોન સંબંધિત પ્રક્રિયાઓની સમીક્ષા કરવા જણાવ્યું છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Exit mobile version