178
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યૂઝ બ્યૂરો
મુંબઈ
18 સપ્ટેમ્બર 2020
રેલવેનું ખાનગીકરણ હવે બહુ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. જે હેઠળ હવે દરેક સુવિધાના પૈસા વસૂલવામાં આવશે. પહેલા સરકારે પ્લેટફોર્મ ટીકીટના ભાવ વધારી દીધા હવે નવા નિયમ મુજબ જેની પાસે ટ્રેનની ટિકિટ હશે તેણે પણ રેલવે સ્ટેશન વાપરવાના પૈસા આપવા પડશે. આ સંદર્ભે વધુ વિગત જણાવતાં રેલવે વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ભારત દેશના કુલ રેલવે સ્ટેશનોમાં થી લગભગ ૧૫ ટકા જેટલા સ્ટેશનો એટલે કે 1000 રેલવે સ્ટેશનો પર આ ચાર્જ લાગુ કરવામાં આવશે. જોકે એ કેટલા રૂપિયા હશે તે સંદર્ભે હજી સુધી સ્પષ્ટતા થઈ શકી નથી.
એક તરફ સરકારે પ્રાઇવેટ ટ્રેનને પોતાના ભાડાં વધારવા માટે મંજૂરી આપી દીધી છે. ત્યારે બીજી તરફ રેલવે ની ટિકિટ ની સાથે લોકોએ સ્ટેશન વાપરવાના પૈસા અલગથી આપવા પડશે.
રેલવે સ્ટેશન પર ઊભા રહેવાના પણ પૈસા આપવા પડશે.
You Might Be Interested In
