RBI : RBI બ્રિટનમાંથી 100 ટનથી વધુ સોનું ભારતમાં પાછું લાવ્યા! 1991 પછી પહેલીવાર આવું દેશમાં બન્યું..

RBI brought back over 100 tonnes of gold from Britain to India! This happened for the first time after 1991 in the country

 News Continuous Bureau | Mumbai 

RBI : ભારતીય રિઝર્વ બેંક બ્રિટનથી ( UK ) 100 ટનથી વધુ સોનું ભારતમાં લાવી છે. આ મામલો ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેની અસર હવે દેશની અર્થવ્યવસ્થા પર પણ પડશે. ભારતમાં હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. એક સમય હતો જ્યારે દેશનું સોનું બહાર રાખવામાં આવ્યા હોવાના અહેવાલો આવતા હતા. પરંતુ હવે ભારત પોતાનું સોનું બ્રિટનથી પરત લાવી રહ્યું છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ આરબીઆઈના અધિકારીઓના નિવેદન આપતા જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં 100 ટન જેટલું સોનું ભારતમાં લાવવામાં આવશે. ભવિષ્યમાં દેશની નાણાકીય સ્થિરતા જાળવી રાખવા માટે આરબીઆઈ દેશની તિજોરીમાં સોનાની માત્રામાં હાલ વધારો કરી રહી છે.  

1991 પછી આ પહેલીવાર છે જ્યારે આટલી મોટી માત્રામાં સોનું  રિઝર્વમાં ( Gold reserves ) ઉમેરવામાં આવ્યું છે. આટલું સોનું આવતા મહિનામાં દેશમાં પાછું લાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરના આંકડાઓ અનુસાર, આરબીઆઈ પાસે માર્ચના અંત સુધીમાં 822.1 ટન સોનું હતું, જેમાંથી 413.8 ટન વિદેશમાં હતું. હવે આ સોનું ( Gold ) ધીમે ધીમે ભારતમાં લાવવામાં આવી રહ્યું છે. વૈશ્વિક ડેટા અનુસાર તાજેતરના વર્ષોમાં RBI સોનાની ખરીદી કરનારી મુખ્ય કેન્દ્રીય બેંક ( central bank ) રહી છે. બેંકે ગયા નાણાંકીય વર્ષમાં તેના અનામતમાં 27.5 ટન સોનું ઉમેર્યું છે.

આ સમાચાર  પણ વાંચો:  Anant and Radhika cruze: અનંત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ ફંક્શન નો વિડીયો આવ્યો સામે, તો કુલ અંદાજ માં રણવીર સિંહ ની તસવીર થઇ વાયરલ

RBI : બેંક ઓફ ઈંગ્લેન્ડ લાંબા સમયથી વિશ્વભરની તમામ કેન્દ્રીય બેંકો માટે સૌથી મોટી ડિપોઝીટરી રહી છે….

બેંક ઓફ ઈંગ્લેન્ડ ( Bank of England ) લાંબા સમયથી વિશ્વભરની તમામ કેન્દ્રીય બેંકો માટે સૌથી મોટી ડિપોઝીટરી રહી છે. જેમાં ભારત પણ આઝાદી પહેલાથી બેંક ઓફ ઈંગ્લેન્ડમાં જ પોતાનું સોનું રાખે છે. તેથી આરબીઆઈએ થોડા વર્ષો પહેલા સોનાની ખરીદી ( Gold Purchase ) શરૂ કરી હતી. આ સમયે ભારતનું સોનું ક્યાંથી પરત લાવી શકાય તેની પણ સમીક્ષા કરવામાં આવી હતી. વિદેશમાં સ્ટોક વધી રહ્યો હોવાથી થોડુંક સોનું ભારતમાં લાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ભવિષ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

સદીઓથી સોનું ભારતીયો માટે ભાવનાત્મક મુદ્દો રહ્યો છે. ભારતમાંં દરેક ઘરમાં સોનું હોય છે અને તેને વેચવું બહુ સારું માનવામાં આવતું નથી. આરબીઆઈએ લગભગ 15 વર્ષ પહેલા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસેથી લગભગ 200 ટન સોનું ખરીદ્યું હતું.