Site icon News Continuous Bureau | Mumbai

RBI Penalty :આ ખાનગી બેંકને ફાટેલી નોટો ન બદલવી પડી મોંઘી, રિઝર્વ બેંક એ ફટકાર્યો મસમોટો દંડ..

RBI Penalty :રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ યસ બેંક પર નોટો ન બદલાવવા બદલ 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રિઝર્વ બેંક (RBI)ના નિયમો અનુસાર, કોઈપણ બેંક ફાટેલી નોટો બદલવાનો ઈન્કાર કરી શકતી નથી. જો કોઈ ગ્રાહકને બેંક નોટ બદલી ન આપે તો ફરિયાદ

RBI imposes penalty on YES Bank for not exchanging mutilated notes

RBI imposes penalty on YES Bank for not exchanging mutilated notes

 News Continuous Bureau | Mumbai 

RBI Penalty : ખાનગી બેંક, યસ બેંકને પણ ફાટેલી નોટો બદલવાની ના પાડવી મોંઘી પડી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ યસ બેંક પર નોટો ન બદલાવવા બદલ 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નિયમો અનુસાર, કોઈપણ બેંક ફાટેલી નોટો બદલવાનો ઈન્કાર કરી શકતી નથી. જો કોઈ ગ્રાહકને બેંક  નોટ બદલી ન આપે તો ફરિયાદ કરી શકાય છે. 

Join Our WhatsApp Channel

RBI Penalty : ફાટેલી નોટો બદલાઈ નથી

ભારતીય રિઝર્વ બેંકે  યસ બેંક પર 10,000 રૂપિયાનો નાણાકીય દંડ લગાવ્યો છે. સ્ટોક એક્સચેન્જોને આપેલી માહિતીમાં યસ બેંકે કહ્યું કે ફાટેલી નોટો ન બદલવા માટે આ દંડ લગાવવામાં આવ્યો છે. યસ બેંકને મોકલવામાં આવેલા પત્રમાં રિઝર્વ બેંકે કહ્યું છે કે આરબીઆઈના અધિકારીઓની શાખાની મુલાકાત દરમિયાન પુરાવા મળ્યા કે ફાટેલી નોટો બદલાઈ નથી.

આ સમાચાર પણ વાંચો : Surat :  ગુજરાતના આ શહેરમાં 4 માળની ઇમારત ધરાશાયી, અનેક લોકો ફસાયાની આશંકા..

RBI Penalty :  બેંકો નોટ બદલવાની ના પાડી શકે નહીં

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની કડક ગાઈડલાઈન્સ છે કે બેંકોએ ખરાબ-ફાટેલી  નોટ બદલી આપવી પડશે. તેઓ આમ કરવાનો ઇનકાર કરી શકતા નથી. 10 રૂપિયાથી વધુ કિંમતની કોઈપણ ફાટેલી નોટ બેંકમાં બદલી શકાય છે. જો કે તેમાંથી 50% થી વધુ હાજર હોય અને નોટનો ઓળખ નંબર સ્પષ્ટપણે જોઈ શકાય. કોઈપણ ફોર્મ ભર્યા વગર સરકારી અને ખાનગી બેંકો અથવા આરબીઆઈ ઈશ્યુ ઓફિસના કાઉન્ટર પર નોટો બદલી શકાય છે.

Minting Coins in India ભારતમાં સિક્કાઓનું ઉત્પાદન કઈ જગ્યાએ બને છે સિક્કા અને કેવી રીતે ઓળખવા ટંકશાળનું નિશાન? જાણો
Rupee Strengthens Against Dollar ડોલર સામે રૂપિયો થયો મજબૂત રૂપિયાનું મૂલ્ય 94.85 ના સ્તરે પહોંચ્યું
Ethanol Fuel Revolution ભારતની ઊર્જા ક્ષેત્રે મોટી ક્રાંતિ 100 ટકા ઇથેનોલ આધારિત ઇંધણના ઉપયોગને મળી મંજૂરી; કૃષિ અર્થતંત્રને મળશે નવું બળ
USIran Peace Deal ક્રૂડ ઓઇલ માર્કેટમાં મોટો કડાકો! વૈશ્વિક શાંતિ વચ્ચે તેલના ભાવ ૪ ટકા તૂટ્યા, શું ભારતીય વાહનચાલકોને મળશે મોટી રાહત?
Exit mobile version