Site icon

RBI: ₹ 7,755 કરોડના મૂલ્યની ₹ 2,000ની નોટો હજુ પણ લોકો પાસે છે: RBI અહેવાલ..

RBI: આરબીઆઈએ અહેવાલ આપ્યો છે કે, રૂ. 2000 ની 97.82% નોટો જ બેંકમાં પાછી આવી છે, માત્ર રૂ. 7,755 કરોડ હજુ પણ લોકો પાસે છે. 2000 રૂપિયાની નોટને બંધ કરવાનો નિર્ણય 19 મે, 2023ના રોજ લેવામાં આવ્યો હતો, ત્યારથી હજી સુધી રૂ. 7,755 કરોડ હજુ પણ બેંકમાં પરત આવવાના બાકી છે.

People still holding Rs 2,000 notes worth Rs 7,755 crore RBI report.. Know more...

People still holding Rs 2,000 notes worth Rs 7,755 crore RBI report.. Know more...

News Continuous Bureau | Mumbai 

RBI: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ગયા વર્ષે જ રૂ. 2000ની નોટ પર પ્રતિબંધ મૂક્યો હતો. આમ છતાં, અંદાજે રૂ. 7755 કરોડની કિંમતની રૂ. 2000ની નોટો તેમને પરત કરવામાં આવી નથી. RBI અનુસાર, 2000 રૂપિયાની 97.82 ટકા નોટો તેની પાસે પહોંચી ગઈ છે. બાકીની નોટો ( Currency Notes ) હજુ પણ સામાન્ય લોકો પાસે છે અને તેમણે તેમની પાસેની 2000ની નોટો પરત કરી નથી. 

Join Our WhatsApp Community

RBIએ સોમવારે નિવેદન આપતા કહ્યું હતું કે, 2000 રૂપિયાની નોટને ( Rs 2000 Notes ) બંધ કરવાનો નિર્ણય 19 મે, 2023ના રોજ ( Demonetization ) લેવામાં આવ્યો હતો. આ નિર્ણય લેવાના સમયે અંદાજે રૂ. 3.65 લાખ કરોડના મૂલ્યની રૂ. 2000ની નોટો ચલણમાં હતી. લોકોને આ નોટો બેંકોમાં જમા કરાવવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો. આમ છતાં માત્ર 97.82 ટકા જ નોટો બેંકમાં પરત આવી હતી. જેમાં અંદાજે રૂ. 7755 કરોડની નોટો પાછી બેંકમાં જમા કરવામાં આવી નથી. આ RBIનો નવો ડેટા ( RBI Data ) 31 મે 2024 સુધીનો છે. 

 RBI: સેન્ટ્રલ બેંકે કહ્યું કે લોકો પાસે 7 ઓક્ટોબર, 2023 સુધી 2000 રૂપિયાની નોટ બદલી કે જમા કરવાની તક હતી….

સેન્ટ્રલ બેંકે કહ્યું કે લોકો પાસે 7 ઓક્ટોબર, 2023 સુધી 2000 રૂપિયાની નોટ બદલી કે જમા કરવાની તક હતી. લોકો 2000ની નોટને જમા કરવાનું કામ કોઈપણ બેંકની શાખામાં જઈને કરી શકતા હતા. આ સિવાય લોકો આ નોટો બદલવા માટે રિઝર્વ બેંકની 19 ઓફિસમાં પણ જઈ શકતા હતા. જેમાં આરબીઆઈ ઈસ્યુ ઓફિસ પણ 9 ઓક્ટોબર, 2023થી રૂ. 2000ની નોટ સ્વીકારી રહી છે. આ પૈસા તેમના ખાતામાં જમા કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો:  Ranbir-Alia: માત્ર બે મહિનામાં રણબીર અને આલિયા એ ખર્ચ કર્યા અધધ આટલા કરોડ રૂપિયા, આ વસ્તુ પાછળ ખર્ચ્યા પૈસા

આ સિવાય લોકો કોઈપણ પોસ્ટ ઑફિસમાંથી ( Post Office ) 2000 રૂપિયાની નોટો ઈન્ડિયા પોસ્ટ દ્વારા તેમના ખાતામાં જમા કરાવવા માટે RBI ઈશ્યૂ ઑફિસમાં મોકલી શકે છે. RBIની ઈશ્યુ ઓફિસ અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં છે. નોંધનીય છે કે, ભારત સરકાર દ્વારા નોટબંધીની જાહેરાત બાદ 2000 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી. નોટબંધીને કારણે તે સમયે ચલણમાં રહેલી 500 અને 1000 રૂપિયાની નોટો બંધ થઈ ગઈ હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Devyani International Sapphire Foods Merger: એક જ છત નીચે આવશે KFC અને Pizza Hut: સફાયર ફૂડ્સ અને દેવયાની ઇન્ટરનેશનલ વચ્ચે મોટી ડીલ, જાણો શેરમાં કેટલી તેજી આવી.
Rupee vs Dollar Rate 2026: નવા વર્ષના પહેલા જ દિવસે બજારમાં મોટી હલચલ! સોનું-ચાંદી સસ્તું થયું, શેરબજારે રચ્યો ઇતિહાસ; જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર.
Cigarette: સિગારેટ પીવી હવે પડશે મોંઘી: સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં કર્યો વધારો; ITC ના શેર 6% અને ગોડફ્રે ફિલિપ્સ 10% તૂટ્યા
New Rules: આજથી બદલાયા આ પાંચ મોટા નિયમો: કોમર્શિયલ ગેસ સિલિન્ડર મોંઘો થયો, જ્યારે PNG ના ભાવમાં રાહત; જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
Exit mobile version