બેંકના ક્રેડિટ-ડેબિટ કાર્ડ હોલ્ડરો માટે મહત્વના સમાચાર- ટોકનાઇઝેશન શું છે- તેનો અમલ થતાં જ 1 ઓક્ટોબરથી કાર્ડ પેમેન્ટની દુનિયા બદલાઈ જશે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

હાલમાં, જ્યારે તમે કોઈ વસ્તુ ઓનલાઈન ઓર્ડર(online order) કરો છો, ત્યારે તમારે કાર્ડની વિગતો આપવી પડશે. એકવાર માહિતી શેર કર્યા પછી, સમગ્ર વ્યવહાર ફક્ત OTP દ્વારા જ થાય છે. પરંતુ ટોકનાઇઝેશન(Tokenization)નો નિયમ લાગુ થયા બાદ આ પ્રક્રિયા સંપૂર્ણપણે બદલાઈ જશે. આ પ્રક્રિયામાં તમારા કાર્ડની વિગતો(Card detail) કોડમાં કન્વર્ટ થઈ જશે. આ પ્રક્રિયાને 'ટોકનિંગ'(Tokening) કહેવામાં આવે છે. એટલે કે, તમારા કાર્ડનો કોઈ નંબર વેપારી કંપની સાથે શેર કરવામાં આવશે નહીં. આ નિયમ લાગુ કરવા પાછળ આરબીઆઈ(RBI)નો પ્રયાસ ડિજિટલ ફ્રોડ(Digital fraud) રોકવાનો છે.

સૌ પ્રથમ, કોઈપણ વેપારી કંપનીની વેબસાઇટ પર ચેકઆઉટ દરમિયાન ડેબિટ/ક્રેડિટ કાર્ડની માહિતી આપવી પડશે. આ પછી, ગ્રાહકે 'સિક્યોર યોર કાર્ડ' વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. આ પછી, વ્યક્તિએ તેના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા ઈ-મેલ પર OTP દ્વારા ટોકનાઇઝેશન સિસ્ટમને અધિકૃત કરવી પડશે. એકવાર તમને ટોકન મળી જાય પછી તમે તેને કાર્ડ પરના ડેટા સાથે બદલી શકો છો. એટલે કે હવે કંપની પાસે તમારા કાર્ડની માહિતી તરીકે માત્ર એક કોડ હશે.

આ સમાચાર પણ વાંચો : આવો તે કેવો ગુસ્સો – બે હજારનું ચલણ કપાતા બાઈક સવારે રસ્તા વચ્ચે પોતાની જ ગાડીને ચાંપી દીધી આગ- જુઓ વિડીયો  

તમને જણાવી દઈએ કે, ભારતીય રિઝર્વ બેંક(Reserve Bank of India) અનુસાર, 195 મિલિયન લોકો પહેલાથી જ ટોકન સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે.ટોકનાઇઝેશનની આ સિસ્ટમ અગાઉ 1 જુલાઈથી લાગુ થવાની હતી. પરંતુ કેટલાક કારણોસર આરબીઆઈએ તેને લાગુ કરવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો. ફરી એકવાર તારીખ લંબાવવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More