RBI’s journey of 90 years:PM મોદીએ RBIને 90 વર્ષ થવા પર આપી મોટી ભેટ, લોન્ચ કર્યો આ ખાસ સિક્કો; સમારોહને કર્યું સંબોધિત; જાણો શુ કહ્યું..

RBI's journey of 90 years: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (1 એપ્રિલ)ના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના 90મા વર્ષની ઉજવણીમાં હાજરી આપી હતી. આ દરમિયાન પીએમ મોદીએ આરબીઆઈના 90મા વર્ષની યાદમાં એક ખાસ સિક્કો બહાર પાડ્યો હતો. આ સમારોહમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ અને કેન્દ્રીય બેંકના અન્ય સભ્યો પણ હાજર હતા.

by kalpana Verat
RBI's journey of 90 years PM Modi's praise for central bank's ‘commitment and professionalism'

News Continuous Bureau | Mumbai 

RBI’s journey of 90 years:રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) આજે તેની 90મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. આ પ્રસંગે, મુંબઈમાં આયોજિત સ્મારક સમારોહમાં, વડા પ્રધાન મોદી ( PM Narendra Modi )એ  હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે આયોજિત એક સમારોહ સંબોધન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, વર્ષ 2014 માં, ભારત ( India ) નું સમગ્ર બેંકિંગ ક્ષેત્ર સમસ્યાઓ અને પડકારોનો સામનો કરી રહ્યું હતું. આજે આ બેંકિંગ સિસ્ટમો નફામાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતે આગામી 10 વર્ષમાં આર્થિક રીતે આત્મનિર્ભર બનવાની જરૂર છે જેથી કરીને દેશ વૈશ્વિક પરિબળોથી પ્રભાવિત ન થાય. બેન્કિંગ સેક્ટર હવે નફાકારક બની ગયું છે અને તેમની સરકાર અને આરબીઆઈ દ્વારા છેલ્લા દાયકામાં કરાયેલા પ્રયાસોને કારણે લોન બુક ગ્રોથ વધી રહી છે. આ સાથે તેમણે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) અને UPIની સફળતાનો પણ ઉલ્લેખ કર્યો.

પરિવર્તન કેસ સ્ટડી માટે યોગ્ય છે

પીએમ મોદીએ કહ્યું કે સ્પષ્ટ નીતિ, ઉદ્દેશ્ય અને નિર્ણય લેવાના સંયોજનને કારણે બેંકિંગ સિસ્ટમમાં સુધારો થયો છે. ભારતીય બેંકિંગ સિસ્ટમનું પરિવર્તન એ એક કેસ સ્ટડી છે. પીએમ મોદીએ ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ એટલે કે જાહેર ક્ષેત્રની બેંકોની એનપીએમાં ઘટાડાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે વર્ષ 2018માં બેંકોની ગ્રોસ એનપીએ લગભગ 11.25 ટકા હતી, જે સપ્ટેમ્બર 2023 સુધીમાં ઘટીને 3 ટકાથી પણ ઓછી થઈ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો :  crispy veg Roll Recipe: સાંજના નાસ્તા માટે બ્રેડમાંથી બનાવો ક્રિસ્પી વેજ રોલ્સ, ચાની મજા થઇ જશે બમણી..

પીએમ મોદીએ કહ્યું કે બેલેન્સ શીટની સમસ્યા હવે ભૂતકાળ બની ગઈ છે અને બેંકો હવે લોનમાં 15 ટકા વૃદ્ધિ નોંધાવી રહી છે. વડાપ્રધાન મોદીના મતે આજે UPI વિશ્વભરમાં ઓળખાય છે. કેન્દ્રીય બેંકે આગામી દસ વર્ષમાં ડિજિટલ વ્યવહારો અને નાણાકીય સમાવેશને આગળ વધારવાને પ્રાથમિકતા આપવી પડશે.

સિક્કાનું અનાવરણ

પીએમ મોદીએ આરબીઆઈની 90મી વર્ષગાંઠ પર એક સ્મારક સિક્કાનું પણ અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ, નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ હાજર હતા. તમને જણાવી દઈએ કે આરબીઆઈ દેશની કેન્દ્રીય બેંક તરીકે 1935માં સ્થાપિત થઈ હતી અને તે ભારતીય રિઝર્વ બેંક એક્ટ, 1934 તેમજ હિલ્ટન યંગ કમિશનની ભલામણો દ્વારા નિયંત્રિત થાય છે.

RBI ગવર્નરે શું કહ્યું?

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે આગામી દાયકામાં કેન્દ્રીય બેંકનો પ્રયાસ સ્થિર અને મજબૂત નાણાકીય વ્યવસ્થા પ્રદાન કરવાનો રહેશે, જે દેશની આર્થિક પ્રગતિ માટે પાયાનું કામ કરશે. તેમણે કહ્યું કે રિઝર્વ બેંક એક સ્થિર અને મજબૂત નાણાકીય વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જે આપણા દેશની આર્થિક પ્રગતિ માટે આધાર તરીકે કામ કરશે. ગવર્નરે ભારપૂર્વક જણાવ્યું હતું કે એક સંસ્થા તરીકે રિઝર્વ બેંકનો વિકાસ ભારતીય અર્થતંત્રના વિકાસ સાથે ગાઢ રીતે જોડાયેલો છે. તે જ સમયે, નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આરબીઆઈ મોંઘવારી પર નિયંત્રણ રાખવામાં સફળ રહી છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More