Reserve Bank of India: રિઝર્વ બેન્કે આ કોપરેટીવ બેંક પર લગાડ્યો બે રૂપિયાનો દંડ. બધા વિચારમાં પડી ગયા…

Reserve Bank of India: આરબીઆઈએ નિયમનકારી ધોરણોનું પાલન ન કરવા બદલ પાંચ સહકારી બેંકો પર રૂ. 60.3 લાખનો દંડ લાદ્યો હતો. આ સમયે RBIએ રાજકોટ નાગરિક સહકારી બેંક પર 43.30 લાખનો દંડ ફટકાર્યો હતો.

by Bipin Mewada
Reserve Bank of India Business worth crores, RBI imposes a penalty of Rs 2 on this bank, know what is the whole matter

News Continuous Bureau | Mumbai

Reserve Bank of India: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) એ તાજેતરમાં, જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક એસબીઆઈ પર 2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. નિયમોનું પાલન ન કરવા બદલ આ દંડ લગાવવામાં આવ્યો હતો. દરમિયાન આરબીઆઈએ કેનેરા બેંક અને યુનિયન બેંક પર પણ દંડ ફટકાર્યો હતો. જો કે, હવે આરબીઆઈએ એક સહકારી બેંક પર માત્ર બે રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ દંડની રકમ આર્શ્ય પમાડે તેવી છે. આ કદાચ પહેલીવાર બન્યું હશે કે જ્યારે કોઈ બેંક પર માત્ર બે રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હોય. 

આરબીઆઈએ નિયમનકારી ધોરણોનું પાલન ન કરવા બદલ પાંચ સહકારી બેંકો ( Cooperative Banks ) પર રૂ. 60.3 લાખનો દંડ લાદ્યો હતો. આ સમયે RBIએ રાજકોટ નાગરિક સહકારી બેંક પર 43.30 લાખનો દંડ ફટકાર્યો હતો. સેન્ટ્રલ બેંકે આ દંડ ડાયરેક્ટર્સ અને તેમના સંબંધીઓને લોન અને એડવાન્સ અને અન્ય વસ્તુઓ પર પ્રતિબંધ સંબંધિત સૂચનાઓનું પાલન ન કરવા બદલ ફટકાર્યો હતો.

  Reserve Bank of India: આ દંડ સહકારી બેંકો પર નિયમનકારી અનુપાલનમાં ક્ષતિઓને કારણે લગાવવામાં આવ્યો છે..

તેમજ આરબીઆઈએ કાંગડા કો-ઓપરેટિવ બેંક (નવી દિલ્હી), રાજધાની નગર કો-ઓપરેટિવ બેંક (લખનૌ) અને ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક , ગઢવાલ (ઉત્તરાખંડ) પર 5-5 લાખ રૂપિયાનો દંડ ( Penalty ) લગાવ્યો હતો . સૌથી ઓછો દંડ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક ( District Co-operative Bank Dehradun ) , દેહરાદૂન પર લગાવવામાં આવ્યો હતો અને આ રકમ બે રૂપિયા જ હતી. રિઝર્વ બેંકે કહ્યું કે દરેક કેસમાં, નિયમનકારી પાલનમાં ક્ષતિઓના આધારે દંડ લાદવામાં આવ્યો હતો અને તેનો હેતુ બેંકો દ્વારા તેમના સંબંધિત ગ્રાહકો સાથે કરવામાં આવેલ કોઈપણ વ્યવહારની માન્યતાને અસર કરવાનો નથી.

આ સમાચાર પણ વાંચો :  Mumbai local Mega block : રવિવારે બહાર ફરવા જવાનું આયોજન છે? તો વાંચો આ સમાચાર, રેલવેએ આ લાઈન પર રાખ્યો છે મેગા બ્લોક.. કેટલીક લોકલ ટ્રેન થશે રદ્દ

આરબીઆઈ દ્વારા લેવામાં આવેલી આ કાર્યવાહી પર, સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આ દંડ સહકારી બેંકો પર નિયમનકારી અનુપાલનમાં ક્ષતિઓને કારણે લગાવવામાં આવ્યો હતો. તેને બેંક અને ગ્રાહકો વચ્ચેના વ્યવહાર અથવા કરાર સાથે કોઈ લેવાદેવા નથી. સમયે સમયે, RBI બેંકિંગ નિયમોનું ( Banking Regulations ) પાલન ન કરવા બદલ બેંકો અથવા NBFCs પર દંડ લાદતી રહે છે. બેંક પર લાદવામાં આવેલા દંડ સાથે ગ્રાહકોને કોઈ લેવાદેવા નથી. બેંકની કામગીરી પહેલાની જ ચાલુ રહેશે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More