Site icon

આગામી રવિવારે બેંકો ની આરટીજીએસ સેવા 14 કલાક માટે બંધ રહેશે. રિઝર્વ બેન્કે કરી જાહેરાત.

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ,13 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

મંગળવાર.

     રિઝર્વ બેન્કે કરેલી જાહેરાત મુજબ, આગામી રવિવાર એટલે 18 એપ્રિલે બેંકોની આરટીજીએસ (Real Time Gross settlement )સેવા 14 કલાક સુધી બંધ રહેશે.

     રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ડિઝાસ્ટર રિકવરી સમયને વધુ બહેતર બનાવવા તથા ટેકનિકલ સુધારા કરવા માટે આ સુવિધા સેવા બંધ રહેશે. શનિવાર મધરાતથી રવિવારે બપોરે બે વાગ્યા સુધી બંધ રહેશે.કોઈપણ ખાતામાં બે લાખ રૂપિયાથી વધુની રકમની લેવડદેવડ કરવી હોય તો આરટીજીએસ સેવાનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે બે લાખ રૂપિયા સુધીના વ્યવહાર માટે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT)સેવાનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે રિઝર્વ બેંકના નિવેદન અનુસાર 18 એપ્રિલે NEFT સેવા પૂર્વવત ચાલુ જ રહેશે.

કાશી વિશ્વનાથ મંદિર પર ઐતિહાસિક ચુકાદો આપનાર જજ નું ટ્રાન્સફર થયું.

    ઉલ્લેખનીય છે કે,રિઝર્વ બેંકે સભ્ય બેંકોને 18 એપ્રિલના રાત્રે 12વાગ્યાથી 2 વાગ્યા સુધીના સમય દરમિયાન ગ્રાહકોના ટ્રાન્ઝેક્શન સંચાલનનું આયોજન કરવા જણાવ્યું છે.

Russia India Oil Deal: ઈરાન જંગ વચ્ચે રશિયા-ભારત વચ્ચે મોટી ડીલ, ૯૫ લાખ બેરલ તેલ મોકલશે પુતિન; જાણો કેવી રીતે ભારતને થશે ફાયદો..
Dubai Economy & Iran War: ઈરાનના હુમલાની દુબઈ પર શું થશે અસર? રિયલ એસ્ટેટ, ટુરિઝમ અને એરલાઈન્સ પર યુદ્ધની સીધી આંચ; જાણો વિગતવાર અહેવાલ
Gold and Silver Prices Skyrocket Amid Iran-US War: સોનું ખરીદતા પહેલા આ વાંચી લેજો! યુદ્ધના કારણે કિંમતોએ તોડ્યા તમામ રેકોર્ડ, ચાંદીમાં પણ ધરખમ ઉછાળો; જુઓ આજનો ભાવ વધારો
Share Market Crash Today: સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટું ગાબડું, રોકાણકારોના ₹૯ લાખ કરોડ ડૂબ્યા; જાણો બજાર તૂટવા પાછળના મુખ્ય કારણો.
Exit mobile version