Site icon

MSME માં નામ નથી નોંધાયું!? વાંધો નહીં, નાના વેપારીઓ માટે સરકારે વધારાના 300 કરોડ ફાળવ્યા

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

28 મે 2020

 લોકડાઉનને કારણે અર્થવ્યવસ્થાને સૌથી મોટું નુકસાન થયું છે. આ મંદિમાંથી બેરોજગારોને ઉગારવા માટે અને દેશના અર્થતંત્રની ગાડી પાટા પર લાવવા માટે, ખાસ 20 લાખ કરોડના બજેટની જાહેરાત કરવા માટે સ્વયં વડાપ્રધાન ટીવીના પડદે આવ્યા હતા, પરંતુ આ જાહેરાત બાદ એક લાખની લોન વાળું કોકડું હજી વિવાદમાં જ છે અને લોન ના ફોર્મ લેવા જનાર બેંક ની મુલાકાતે ગયેલા લોકો પણ પાછા ફરી રહ્યા છે. આની જાણ થતાં જ સરકારે હવે એમ.એસ.એમ.ઈ માં નોંધાયા ન હોય એવા ઉદ્યોગ એકમોને પણ ૩૦૦ કરોડની લોન આપવાનું આશ્વાસન આપ્યું છે. અને આમ એમ.એસ.એમ.ઈ માં registered ન હોય એવા એકમોને લાભ આપવાનું નક્કી કરાયું છે. તેમની બાકી લોન ૨૫ કરોડથી ઓછી અને 2018 19માં વાર્ષિક વેચાણ સો કરોડ કરતા ઓછુ હોય એવા લોકો આ યોજનાનો લાભ લઇ શકશે. આ સુધારાથી ટેક્ષટાઇલ, હોલસેલ, વેપારી, હોટલ, બિલ્ડર અને રિટેલરો લઇ શકશે. જોકે હાલ લોકો બેકારી અને આર્થિક મંદી સહી રહ્યા હોવાથી કરોડોની લોન લેતા પહેલા બે વાર વિચાર હશે એવું લાગી રહ્યું છે..

Budget 2026 Expectations: મધ્યમ વર્ગના ખિસ્સામાં આવશે વધુ પૈસા! ટેક્સ સ્લેબમાં ધરખમ ફેરફારની તૈયારી; જાણો બજેટ ૨૦૨૬માં મોદી સરકારની શું છે ખાસ ગિફ્ટ.
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Gold Silver Price Today: રેકોર્ડ તેજી બાદ સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! ટ્રમ્પના આ એક નિવેદને પલટી નાખી આખી રમત; જાણો રોકાણકારો માટે હવે શું છે સલાહ.
India-US Trade Deal Impact: ટ્રમ્પના એક નિવેદનથી ભારતીય બજારોમાં આવશે સુનામી! ભારત-અમેરિકા વ્યાપાર કરારના સંકેતથી આ 5 સેક્ટર્સના શેરોમાં લાગશે અપર સર્કિટ
Exit mobile version