Site icon News Continuous Bureau | Mumbai

આર.ટી.આઈમાં મોટો ખુલાસો : 20 લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજ- ભાગ્યે જ 10 % વિતરણ કરાયું – 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
14 ડિસેમ્બર 2020
મે મહિનામાં, જ્યારે કેન્દ્ર દ્વારા રૂ. 20 લાખ કરોડના આર્થિક રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી ત્યારે, રોગચાળાના કારણે તાળાબંધીની ઊંચાઇ પર હતી, રોજગાર ધંધા વ્યવસાય ને પણ તાળા લાગી ગયાં હતાં. દેખીતી રીતે અકાળે આવેલી મંદીને દૂર કરવા કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણએ લાખો કરોડોનું પેકેજ જાહેર કરવું પડ્યું હતું. પરંતુ આરટીઆઇ માં ખુલાશો થયો છે કે 7 મહિનામાં માત્ર ને માત્ર 10% રકમ જ વહેંચવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

20 લાખ કરોડના ઐતિહાસિક નાણાકીય પેકેજના સચોટ ફાયદાઓ કોને પહોંચ્યાં છે એ જાણવાનો પ્રયાસ કરતાં પૂનાના એક ઉદ્યોગપતિ એ આરટીઆઈ અંતર્ગત ક્વેરી ફાઇલ કરી હતી, અને કેન્દ્ર તરફથી તેમને કેટલાક આઘાતજનક જવાબો મળ્યા છે. 

મંત્રાલયે જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત, ઇમર્જન્સી ક્રેડિટ લાઇન ગેરંટી યોજના રજૂ કરવામાં આવી હતી, જે 31 ઓક્ટોબર સુધી ઉપલબ્ધ હતી અથવા રૂ. 3-લાખ-કરોડ ઇસીએલજીએસ હેઠળ મંજૂર થાય ત્યાં સુધી જ છે, જે અગાઉ હતી. 

આરટીઆઈ માં સરકારે જણાવ્યું હતું કે, ઇસીએલજીએસ દ્વારા મંજુર કરવામાં આવેલા 20 લાખ કરોડ રૂપિયામાંથી સરકારે વિવિધ રાજ્યોને દેણા તરીકે આશરે 1.20 લાખ કરોડનું જ વિતરણ કર્યું છે. આમાં 1.30 કરોડ ભારતીય વસ્તીના માથા દીઠ આશરે નજીવી રકમ આવે છે, જે અમુક સમયે પરત કરવી પડશે. 

અહીં મોટો સવાલ એ છે કે – આઠ મહિનાના કુલ પેકેજમાંથી રૂ. બાકીની 17 -લાખ-કરોડથી વધુની બાકી રકમ ક્યાં છે? તે જાહેર થયા પછી કોઈને આપવામાં આવી કેમ નહીં? એવો પ્રશ્ન હલ સરકારને પુછાય રહ્યો છે. પરંતુ કેન્દ્ર સરકાર તરફથી હજી કોઈ જવાબ આવ્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે સૌથી વધુ અસરગ્રસ્ત ક્ષેત્રોમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરના તમામ ઉદ્યોગો, હોસ્પિટાલિટી અને પર્યટન ઉદ્યોગ, મીડિયા અને આનુષંગિક ક્ષેત્રો અને અસંગઠિત ક્ષેત્રનો સમાવેશ થાય છે.

Tata Group Ownership ટાટા ગ્રુપનો અસલ માલિક કોણ? જાણો ૨૫.૨૯ લાખ કરોડના સામ્રાજ્યને કેવી રીતે ચલાવવામાં આવે છે?
UPI Free UPI ને ફ્રી રાખવા માટે સરકાર લાવી આ બે નવા ફોર્મ્યુલા, જાણો તમારા પર શું પડશે અસર?
Retail Inflation CPI Data આરબીઆઈની ચિંતા વધી, શાકભાજી અને ખાદ્ય ચીજો મોંઘી થઈ! જુલાઈ મહિનામાં ફુગાવાના આંકડામાં મોટો ઉછાળો.
Tata Sons N Chandrasekaran Resignation એજીએમ પહેલાં ટાટા ગ્રુપમાં મોટું સંકટ! ચેરમેન પદેથી એન. ચંદ્રશેખરન હટ્યા, રોકાણકારોમાં ખળભળાટ!
Exit mobile version