Site icon

લો બોલો! નિષ્ક્રિય EPF એકાઉન્ટમાં જમા છે અધધ આટલા હજાર કરોડથી પણ વધુ રકમ, જેનું કોઈ પણ નથી દાવેદાર; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

કર્મચારીઓના ભવિષ્ય નિધિ (EPF)માં નિષ્ક્રિય EPF ખાતાઓમાં કુલ રૂ. 3930.85 કરોડ જમા છે.

Join Our WhatsApp Community

શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે સુશીલ કુમાર મોદીના એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી છે. 

તેમણે કહ્યું કે કર્મચારી ભવિષ્ય નિધિમાં કોઈ દાવા વગરની થાપણ નથી. પરંતુ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ સ્કીમ 1952 મુજબ, કેટલાક ખાતાઓને નિષ્ક્રિય ખાતા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. 

આવા તમામ નિષ્ક્રિય ખાતાઓમાં ચોક્કસપણે દાવેદારો છે. 31 માર્ચ, 2021 સુધીમાં, આવા નિષ્ક્રિય ખાતાઓમાં જમા થયેલી કુલ રકમ રૂ. 3930.85 કરોડ છે.

પગારદાર લોકોનું EPFOમાં ખાતું હોય છે, જ્યાં દર મહિને તેમના પગારનો અમુક ભાગ જમા થાય છે. પરંતુ જો 36 મહિના સુધી કોઈ વ્યવહાર ન થાય તો તે નિષ્ક્રિય થઈ જાય છે.

આ સમાચાર પણ વાંચો :  નાણાકીય વર્ષ 2022-23ની જારી પ્રથમ ક્રેડિટ પોલિસી જાહેર. રિઝર્વ બેંકે રેપો રેટને યથાવત રાખ્યો; જીડીપી દર ઘટાડીને આટલા ટકા કર્યો..

Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Exit mobile version