Site icon

લો બોલો! નિષ્ક્રિય EPF એકાઉન્ટમાં જમા છે અધધ આટલા હજાર કરોડથી પણ વધુ રકમ, જેનું કોઈ પણ નથી દાવેદાર; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

કર્મચારીઓના ભવિષ્ય નિધિ (EPF)માં નિષ્ક્રિય EPF ખાતાઓમાં કુલ રૂ. 3930.85 કરોડ જમા છે.

Join Our WhatsApp Community

શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે સુશીલ કુમાર મોદીના એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી છે. 

તેમણે કહ્યું કે કર્મચારી ભવિષ્ય નિધિમાં કોઈ દાવા વગરની થાપણ નથી. પરંતુ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ સ્કીમ 1952 મુજબ, કેટલાક ખાતાઓને નિષ્ક્રિય ખાતા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. 

આવા તમામ નિષ્ક્રિય ખાતાઓમાં ચોક્કસપણે દાવેદારો છે. 31 માર્ચ, 2021 સુધીમાં, આવા નિષ્ક્રિય ખાતાઓમાં જમા થયેલી કુલ રકમ રૂ. 3930.85 કરોડ છે.

પગારદાર લોકોનું EPFOમાં ખાતું હોય છે, જ્યાં દર મહિને તેમના પગારનો અમુક ભાગ જમા થાય છે. પરંતુ જો 36 મહિના સુધી કોઈ વ્યવહાર ન થાય તો તે નિષ્ક્રિય થઈ જાય છે.

આ સમાચાર પણ વાંચો :  નાણાકીય વર્ષ 2022-23ની જારી પ્રથમ ક્રેડિટ પોલિસી જાહેર. રિઝર્વ બેંકે રેપો રેટને યથાવત રાખ્યો; જીડીપી દર ઘટાડીને આટલા ટકા કર્યો..

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version