લો બોલો! નિષ્ક્રિય EPF એકાઉન્ટમાં જમા છે અધધ આટલા હજાર કરોડથી પણ વધુ રકમ, જેનું કોઈ પણ નથી દાવેદાર; જાણો વિગતે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કર્મચારીઓના ભવિષ્ય નિધિ (EPF)માં નિષ્ક્રિય EPF ખાતાઓમાં કુલ રૂ. 3930.85 કરોડ જમા છે.

શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે સુશીલ કુમાર મોદીના એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી છે. 

તેમણે કહ્યું કે કર્મચારી ભવિષ્ય નિધિમાં કોઈ દાવા વગરની થાપણ નથી. પરંતુ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ સ્કીમ 1952 મુજબ, કેટલાક ખાતાઓને નિષ્ક્રિય ખાતા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. 

આવા તમામ નિષ્ક્રિય ખાતાઓમાં ચોક્કસપણે દાવેદારો છે. 31 માર્ચ, 2021 સુધીમાં, આવા નિષ્ક્રિય ખાતાઓમાં જમા થયેલી કુલ રકમ રૂ. 3930.85 કરોડ છે.

પગારદાર લોકોનું EPFOમાં ખાતું હોય છે, જ્યાં દર મહિને તેમના પગારનો અમુક ભાગ જમા થાય છે. પરંતુ જો 36 મહિના સુધી કોઈ વ્યવહાર ન થાય તો તે નિષ્ક્રિય થઈ જાય છે.

આ સમાચાર પણ વાંચો :  નાણાકીય વર્ષ 2022-23ની જારી પ્રથમ ક્રેડિટ પોલિસી જાહેર. રિઝર્વ બેંકે રેપો રેટને યથાવત રાખ્યો; જીડીપી દર ઘટાડીને આટલા ટકા કર્યો..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More