Share Market : સેબીએ આદેશ આપી દીધો છે કે શેરબજારના ટ્રેડિંગ અવર્સ વધારવામાં નહીં આવે.

Share Market : સેબી પાસે એ પ્રકારની માંગણી મૂકવામાં આવી હતી કે શેરબજારના ટ્રેડિંગ અવર્સ લંબાવવામાં આવે. પરંતુ તમામ બ્રોકરો આ સંદર્ભે એક મત ન થતા નિર્ણય ટાળવામાં આવ્યો.

by Hiral Meria
SEBI Rules Out Share Market Hour Extension

News Continuous Bureau | Mumbai

Share Market :  નેશનલ સ્ટોક માર્કેટના ( NSE ) ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આશિષ કુમાર ચૌહાણે ( Ashishkumar Chauhan ) સ્પષ્ટતા કરી છે કે હાલમાં શેરબજારના ટ્રેડિંગ કલાકમાં ( trading hours ) વધારો થશે નહીં. તેમણે કહ્યું કે સેબીએ શેરબજારના પ્રસ્તાવને મંજૂરી આપી નથી. એવા અહેવાલ હતા કે શેરબજારના કામકાજના કલાકો ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનાથી લંબાવવામાં આવી શકે છે. શેરબજારે પણ આવો પ્રસ્તાવ મૂક્યો હતો.  

Share Market : ભારતના નેશનલ એક્સચેન્જ સભ્યોએ પણ માંગણી કરી હતી કે ઇન્ડેક્સ અને ફ્યુચર્સ માર્કેટ માટે સમય લંબાવવામાં આવે.

કેશ માર્કેટમાં પણ આવી જ માંગ હતી. તેથી, સેબીએ ( SEBI ) પણ નેશનલ સ્ટોક એક્સચેન્જના પ્રસ્તાવ પર ચર્ચા કરવાની તૈયારી દર્શાવી હતી. નેશનલ માર્કેટે તબક્કાવાર રીતે સમય વધારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પ્રથમ તબક્કામાં ફ્યુચર્સ, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ માર્કેટ સાંજે 6 થી 9 વાગ્યા સુધી ચાલુ રાખવાના હતા. બીજા તબક્કામાં ઈન્ડેક્સ અને ફ્યુચર્સ, ઓપ્શન્સ માર્કેટ રાત્રે 11:30 વાગ્યા સુધી ચાલુ રહેશે. અને ત્રીજા તબક્કામાં, રોકડ સેગમેન્ટ પણ સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. 

આ સમાચાર પણ વાંચો:  Supreme Court : સુપ્રીમ કોર્ટનો કેજરીવાલને ઝટકો, જેલમાંથી નહીં ચાલી શકે સરકાર.

સેબીએ અભ્યાસ માટે આ દરખાસ્ત સ્વીકારી હતી. પરંતુ, જ્યારે શેરબજારને લગતી તમામ સંસ્થાઓના અભિપ્રાયો મંગાવવામાં આવ્યા ત્યારે કેટલાક શેરબજારના ( Stock Market ) બ્રોકર્સ એસોસિએશને આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. આથી, સેબીએ હવે કોઈ સર્વસંમતિ ન હોવાની ટિપ્પણી કરીને દરખાસ્ત પડતી મૂકી છે.

Join Our WhatsApp Community

You may also like