Site icon

Pakistan stock market :ભારતના ‘ઓપરેશન સિંદૂર’થી હચમચી ગયું પાકિસ્તાન! શેરબજારમાં કડાકો, બંધ કરવું પડ્યું ટ્રેડિંગ

Pakistan stock market :આજે પાકિસ્તાનના શેરબજારમાં ભારે ઘટાડો થયો અને ટ્રેડિંગ બંધ કરવું પડ્યું.

Pakistan stock market Sindoor effect! Trading in Pakistan's Karachi Stock Exchange halted after 7% crash

Pakistan stock market Sindoor effect! Trading in Pakistan's Karachi Stock Exchange halted after 7% crash

  News Continuous Bureau | Mumbai

Pakistan stock market : પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં આતંકવાદી છાવણીઓ પર ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી સર્જિકલ મિસાઈલ સ્ટ્રાઈક પછી, રાજકીય અને સુરક્ષા સ્તરે પ્રવૃત્તિઓ તીવ્ર બની ગઈ છે. દરમિયાન  ભારતની જવાબી કાર્યવાહીના એક દિવસ પછી, આજે પાકિસ્તાનના શેરબજારમાં ભારે ઘટાડો થયો અને ટ્રેડિંગ બંધ કરવું પડ્યું. કરાચી સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક KSE-30 ઇન્ડેક્સ 7.2% ઘટ્યો. બુધવારે પણ આ સૂચકાંક 3% ઘટ્યો હતો. ગુરુવારે KSE-100 ઇન્ડેક્સ પણ 6.3% ઘટ્યો હતો અને ટ્રેડિંગ અટકી ગયું હતું. બુધવારે ઇન્ડેક્સ પહેલાથી જ 3.13% ઘટ્યો હતો. આ સમગ્ર ઘટના પાછળ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલો તણાવ હોવાનું માનવામાં આવે છે.

Join Our WhatsApp Community

Pakistan stock market :પાકિસ્તાને  યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું

ભારતે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં આતંકવાદીઓના ઠેકાણાઓ પર સચોટ હુમલા કર્યા. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, હવાઈ સંરક્ષણ રડાર અને લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. હુમલા પછી તરત જ, પાકિસ્તાને પણ નિયંત્રણ રેખા (LoC) પર ભારે ગોળીબાર શરૂ કર્યો, યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું. અહેવાલો અનુસાર, જમ્મુ અને કાશ્મીરના ભીમ્બર ગલી વિસ્તારમાં પાકિસ્તાન તરફથી તોપમારો કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ પણ “સંયમિત રીતે” જવાબ આપવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાન સરકારે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તે પોતાના બચાવમાં જવાબ આપવાનો અધિકાર રાખે છે. જોકે, ભારત દ્વારા એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સેના દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

Pakistan stock market :ભારતીય બજારો પર હળવી અસર

પાકિસ્તાનનું બજાર તૂટી પડ્યું, પરંતુ ભારતીય શેરબજારો પર તેની ખાસ અસર જોવા મળી નહીં. ગુરુવારે, સેન્સેક્સ ફક્ત 0.67% અને નિફ્ટી 0.43% ઘટીને બંધ થયો. પહેલગામ હુમલા પછીના છેલ્લા એક મહિનામાં, KSE-30 14.2% ઘટ્યો છે જ્યારે ભારતીય સેન્સેક્સ 0.7% વધ્યો છે. ભારતે પહેલા પણ આવા તણાવનો સામનો કર્યો છે – પછી ભલે તે કારગિલ યુદ્ધ હોય, સંસદ હુમલો હોય કે પુલવામા. પરંતુ દર વખતે ભારતીય બજારોએ આવા તણાવને ઝડપથી પચાવી લીધા છે. ભલે ઘટાડો થયો હોય, તે ક્ષણિક અને ભાવનાત્મક રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  Operation Sindoor Rauf Azhar :ઓપરેશન સિંદૂરમાં સેનાની મોટી કાર્યવાહી, કંદહાર હાઇજેકના આ માસ્ટરમાઇન્ડ આંતકી ને માર્યો ઠાર..

Pakistan stock market :વિદેશી સરકારોએ ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી

વધતા તણાવને ધ્યાનમાં રાખીને, સિંગાપોર અને ઇઝરાયલ સહિત ઘણા દેશોએ તેમના નાગરિકોને ભારત અને પાકિસ્તાનમાં જમ્મુ અને કાશ્મીરની બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે.

Share Market Crash Today: સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટું ગાબડું, રોકાણકારોના ₹૯ લાખ કરોડ ડૂબ્યા; જાણો બજાર તૂટવા પાછળના મુખ્ય કારણો.
Stock Market Crash: બજારમાં અચાનક કેમ મચ્યો હાહાકાર? સેન્સેક્સ 800 પોઈન્ટ ગગડ્યો, IT સેક્ટરમાં AI ના જોખમે વધારી ચિંતા; જાણો કયા શેરો સૌથી વધુ તૂટ્યા.
Tata Capital IPO: ટાટાનો આવી રહ્યો છે અધધ આટલા કરોડનો આઇપીઓ (IPO)… બે દિવસ પછી કમાણીની તક, જાણો એક-એક વિગત
Stock Market: સાત દિવસની ઘટાડા બાદ બજારમાં તેજી, સેન્સેક્સ આટલા અંક ઉછળ્યો તો નિફ્ટી પણ ૨૪૫૦૦ની પાર
Exit mobile version