Share Market crash : લાલચોળ થયું શેરબજાર! સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો ઘટાડો; આ મંદી પાછળ શું છે કારણ.. જાણો

Share Market crash : ઘરેલુ શેરબજારોમાં ગુરુવારે જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારે પણ શરૂઆતી કારોબારમાં બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ દિવસ આગળ વધતાં પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. શરૂઆતના વેપારમાં તેઓ લગભગ 0.6% ઘટ્યા હતા. પરંતુ આઇટી અને બેન્કિંગ શેરોમાં ઉછાળાને કારણે સેન્સેક્સ અને નિફ્ટીએ નોંધપાત્ર ટર્નઅરાઉન્ડ કર્યો હતો.

by kalpana Verat
Share Market crash Nifty below 25,000, Sensex down 860 pts; auto, oil and gas, FMCG, realty worst hit

News Continuous Bureau | Mumbai 

Share Market crash : મધ્ય પૂર્વમાં તણાવના અહેવાલો વચ્ચે, કાચા તેલની કિંમત 5% વધીને બેરલ દીઠ $ 78 પર પહોંચી ગઈ છે. બજાર હવે ઈરાન પર સંભવિત હુમલાને લઈને ચિંતિત છે.  એટલે ગુરુવારે ઘરેલુ શેરબજારોમાં મોટો ઘટાડો ( Share Market Crash ) શુક્રવારે પણ ચાલુ રહ્યો છે.  

 Share Market crash :  મુખ્ય સૂચકાંકો લગભગ 1 ટકા જેટલા તૂટ્યા

શેર બજારે બપોરે થોડો ઊઠવાનો પ્રયત્ન કર્યો, પણ લાંબો સમય ઉભું રહી શક્યું નહીં અને પાછું ધડામ દઈને પડી ગયું. સમાચાર લખાય છે ત્યાં સુધીમાં બંને મુખ્ય સૂચકાંકો લગભગ 1 ટકા જેટલા તૂટ્યા હતા. નિફ્ટી 260 પોઈન્ટ ( Sensex nifty news ) ઘટીને 24,990 પર પહોંચી ગયો હતો, જ્યારે −870.40 પોઈન્ટ ગબડીને 81,626.70 પર ટ્રેડ કરી રહ્યો છે. સતત 4 દિવસના ઘટાડા બાદ રોકાણકારો ( Investors ) ના મનમાં શંકા છે કે આ બજાર કેમ ઘટી રહ્યું છે? ચાલો જાણીએ…

Share Market crash : આ કારણે  વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોને  બજારમાં તેમનો હિસ્સો ઘટાડવાની ફરજ પડી 

નિષ્ણાતોના મતે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)ને ભારતીય બજારમાં તેમનો હિસ્સો ઘટાડવા ( Share Market down ) ની ફરજ પડી છે. આ મજબૂરી પાછળ બે કારણો છે – 1. ચીનના શેરબજારમાં વધારો, અને 2. ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ પર સેબી દ્વારા લાદવામાં આવેલા નવા નિયંત્રણો. સ્ટોક એક્સચેન્જોમાંથી પ્રાપ્ત થયેલા પ્રારંભિક ડેટા અનુસાર, FPIs એ ગુરુવારે $1.82 બિલિયન (આશરે રૂ. 15,200 કરોડ)ના ભારતીય શેરનું વેચાણ કર્યું હતું.

Share Market crash : ભારતે ટોચનું સ્થાન ગુમાવ્યું

ગત 1 ઓક્ટોબરના રોજ, FPIsએ $621.4 મિલિયન (આશરે રૂ. 5,200 કરોડ)ના ભારતીય શેરનું વેચાણ કર્યું હતું, જ્યારે સપ્ટેમ્બરના અંતિમ દિવસે તેઓએ $767 મિલિયન (આશરે રૂ. 6,400 કરોડ)ના શેરનું વેચાણ કર્યું હતું. આ સતત વેચવાલીથી ભારતીય બજાર પર મોટી અસર પડી છે, જેના કારણે રોકાણનો પ્રવાહ ઘટ્યો છે. આ વેચવાલીના કારણે ભારતે ઊભરતાં બજારોમાં વિદેશી રોકાણના સંદર્ભમાં ટોચનું સ્થાન ગુમાવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : મિડલ ઇસ્ટમાં તણાવ વધતાં ભારતીય શેર માર્કેટમાં સુનામી, સેન્સેક્સ 1700, નિફ્ટી 500 પોઈન્ટથી વધુ તૂટ્યો… રોકાણકારોના અધધ આટલા લાખ કરોડ ધોવાયા

આ ઉપરાંત, એફપીઆઈ ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ પર નવા નિયંત્રણો લાદવાની સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ની યોજના અંગે પણ ચિંતિત છે. આ નિયમનકારી પગલાથી ભારતીય બજારોમાં અસ્થિરતા વધી છે, જે FPIs દ્વારા વેચાણને વધુ તીવ્ર બનાવી શકે છે.

 (ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More