Site icon News Continuous Bureau | Mumbai

અદાણી ગ્રૂપની કંપનીઓના શેર ઊંચકાયા, અંબુજા સિમેન્ટ 4 ટકા અને AEL 3 ટકા સુધી વધ્યા

આજે સવારથી ભારતીય શેરબજારમાં અદાણી ગ્રૂપના શેરમાં તેજી જોવા મળી હતી. અદાણી ગ્રૂપે પ્રી-પેમેન્ટ શેડ્યૂલને પહોંચી વળવા માટે કુલ $2.65 બિલિયનની લોનની ચૂકવણી કરશે તેવું જણાવ્યું હતું. તે પછી મંગળવારે સવારથી શેર માર્કેટમાં અદાણીના મોટાભાગના શેરમાં વધારો થયો હતો.

Gautam Adani : Industrialist Gautam Adani's A shocking move.. Changed the name of this company

Gautam Adani : ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનુ ચોંકાવનારું પગલું… આ કંપનીનું નામ બદલ્યું, રોકાણકારોને શું ફાયદો થશે.. જાણો વિગતવાર માહિતી અહીં…

News Continuous Bureau | Mumbai

આજે સવારથી ભારતીય શેરબજારમાં અદાણી ગ્રૂપના શેરમાં તેજી જોવા મળી હતી. અદાણી ગ્રૂપે પ્રી-પેમેન્ટ શેડ્યૂલને પહોંચી વળવા માટે કુલ $2.65 બિલિયનની લોનની ચૂકવણી કરશે તેવું જણાવ્યું હતું. તે પછી મંગળવારે સવારથી શેર માર્કેટમાં અદાણીના મોટાભાગના શેરમાં વધારો થયો હતો.

Join Our WhatsApp Channel

BSE પર અંબુજા સિમેન્ટના શેર 4 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ 3 ટકા, ACC 2.48 ટકા, અદાણી પાવર 1.17 ટકા, અદાણી પોર્ટ્સ 0.87 ટકા અને અદાણી ગ્રીન એનર્જી 0.67 ટકા વધીને ટ્રેડ થયા હતા.  તે જ સમયે, અદાણી જૂથની કેટલીક કંપનીઓના શેરમાં ઘટાડો પણ જોવા મળ્યો હતો. અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ ગેસ, અદાણી વિલ્મર અને એનડીટીવીના શેર મજબૂત સ્થિતિ પર વેપાર શરૂ કર્યા પછી લાલ નિશાનમાં સેટલ થયા છે. સમાચાર લખાય છે ત્યારે BSE બેન્ચમાર્ક 127.20 પોઈન્ટ અથવા 0.20 ટકાના ઘટાડા સાથે 62,660.27 પર ટ્રેડ કરી રહ્યો હતો.

આ સમાચાર પણ વાંચો: ઇન્ટરનેશનલ લેવલની ફિલ્મ હશે ‘શક્તિમાન’ મુકેશ ખન્નાએ કર્યો ખુલાસો,અધધ આટલા કરોડ નું હશે બજેટ

મુશ્કેલીમાં મુકાયેલા અદાણી જૂથે સોમવારે જણાવ્યું હતું કે તેણે યુએસ શોર્ટ સેલરના અહેવાલ બાદ રોકાણકારોનો વિશ્વાસ પાછો મેળવવાના પ્રયાસો કર્યા છે. આ માટે, કંપનીએ પ્રી-પેમેન્ટ પ્રોગ્રામને પહોંચી વળવા માટે $2.65 બિલિયનની લોન ચૂકવી છે. સોમવારે જારી કરાયેલી ક્રેડિટ નોટમાં અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે, તેણે $2.15 બિલિયનની પ્રી-પેમેન્ટ કરી છે. આ ચૂકવણી જૂથોની લિસ્ટેડ કંપનીઓમાં શેરો ગીરવે મૂકીને કરવામાં આવી હતી. અંબુજા સિમેન્ટના સંપાદન માટે $700 મિલિયનની લોન પણ લેવામાં આવી હતી.

કંપનીએ $203 મિલિયનની વ્યાજની ચૂકવણી પણ કરી છે. આ ઉપરાંત, ક્રેડિટ અપડેટમાં જણાવાયું છે કે ચાર લિસ્ટેડ ગ્રૂપ એન્ટિટીએ અગ્રણી વૈશ્વિક રોકાણ ફર્મ GQG પાર્ટનર્સ સહિત પ્રમોટરોને $1.87 બિલિયનમાં શેરનું વેચાણ પૂર્ણ કર્યું છે, જે આશરે રૂ. 15,446 કરોડ છે. યુએસ શોર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચે જાન્યુઆરીમાં એક અહેવાલ બહાર પાડ્યો હતો, જેમાં અદાણી જૂથો દ્વારા છેતરપિંડી અને શેરના ભાવમાં હેરાફેરીનો આરોપ મૂક્યો હતો, જેના કારણે શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. અદાણી ગ્રૂપની માર્કેટ વેલ્યુમાં લગભગ 145 અબજ ડોલરનો ઘટાડો થયો હતો. અદાણી જૂથોએ હિંડનબર્ગના તમામ આરોપોને નકારી કાઢ્યા છે.

Subhash Chandra Loan Settlement ૨૨,૦૦૬ કરોડનું દેવું ને માત્ર ૬.૫ કરોડમાં પૂરું! સુભાષ ચંદ્રાના આ મામલે બેંકોને ૯૯.૯૭% નો ‘હેર કટ’, વિજય માલ્યાએ પણ ઉઠાવ્યા સવાલ
Samudra Manthan Plan વિદેશી નિર્ભરતા ઘટશે…? ઊંડા સમુદ્રમાં ખનન માટે ૮૪,૦૮૪ કરોડનું રોકાણ, ૬૦ નવા કૂવા ખોદાશે
Meta AI Failure AI પર ભરોસો કરવો મોંઘો પડ્યો! ૬૦ ટકા કર્મચારીઓને કાઢી મૂકવાની મેટાની યોજના થઈ ગઈ ફેલ; જાણો કારણ
Richer Than India But Weaker Currency અમીરીમાં ટોપ, પણ કરન્સીમાં ફ્લોપ જાણો કયા દેશોની કરન્સી ભારતીય રૂપિયા સામે પાણી ભરે છે!
Exit mobile version