મહારાષ્ટ્ર ની આ બેંકનું ખાનગીકરણ થશે; બીજી બેન્કોનો પણ નંબર લાગી ગયો જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, જૂન ૨૦૨૧

શનિવાર

નીતિ આયોગે જાહેર ક્ષેત્રની બૅન્કો અને વીમા કંપનીઓના ડિસઇન્વેસ્ટમેન્ટ અંગે સચિવોની કોર કમિટી સમક્ષ રજૂ કર્યા છે. જેનું વર્તમાન નાણાકીય વર્ષમાં ખાનગીકરણ કરવામાં આવશે. આમાં જાહેર ક્ષેત્રની બે બૅન્કો  અને એક જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીનું નામ સામેલ છે. આ અનુસાર બૅન્ક ઑફ મહારાષ્ટ્ર અને સેન્ટ્રલ બૅન્ક ટોચના બે ઉમેદવાર છે, જેમના નામ ખાનગીકરણ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવ્યા છે. જોકે ઇન્ડિયન ઓવરસીઝ બૅન્કનું નામ પણ આ વર્ષે અથવા સંભવત: પછીથી આ સૂચિમાં દેખાઈ શકે છે.

એક મીડિયા હાઉસના અહેવાલ અનુસાર, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ અને ઓરિયેન્ટલ ઇન્સ્યુરન્સ અનુકૂળ હોય શકે છે, કારણ કે એમાં વિદેશી કામગીરી નથી અને ખાનગી રોકાણકારોને આમંત્રણ આપવાનું વધુ સરળ છે. સરકારે અગાઉ સંકેત આપ્યો હતો કે નબળી બૅન્કોને પ્રોમ્પ્ટ કરેક્ટિવ ઍક્શન (PCA) ફ્રેમવર્ક હેઠળ ખાનગીકરણની બહાર રાખવામાં આવશે, કારણ કે તેમના માટે ખરીદદારો શોધવાનું મુશ્કેલ બનશે. આનાથી સરકારની ડિસઇન્વેસ્ટમેન્ટ યોજનામાંથી ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક અને યુકો બૅન્ક આ ત્રણ બૅન્કો ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયાથી બહાર થઈ જાય છે.

રિલાયન્સે વર્ષ 2020-21માં CSR પાછળ રૂ. 1140 કરોડ ખર્ચ કર્યો

ઉલ્લેખનીય છે કે બૅન્ક ઑફ મહારાષ્ટ્ર અને સેન્ટ્રલ બૅન્ક બંને પશ્ચિમ કેન્દ્રિત બૅન્કો છે, જ્યાં જાહેર ક્ષેત્રની બૅન્કની હાજરી પહેલાંથી જ મજબૂત છે, જેનાથી ખાનગી ક્ષેત્રમાં વધુ પ્રવેશની મંજૂરી મળે છે. આનાથી યુકો, IOB, સેન્ટ્રલ બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, પંજાબ અને સિંધ બૅન્ક અને બૅન્ક ઑફ ઇન્ડિયા આમ માત્ર છ બૅન્કોના ખાનગીકરણની શક્યતા છે. પસંદગી આ સૂચિમાંથી જ થશે છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More