Ayodhya Ram Mandir: અયોધ્યા જનારાઓ માટે સારા સમાચાર.. સ્પાઈસ જેટ લાવી છે આ જોરદાર ઓફર.. માત્ર આટલા રુપિયામાં ફલાઈટ બુક કરીને પહોંચો અયોધ્યા..

Ayodhya Ram Mandir: રામ મંદિરના ઉદ્દઘાટન બાદ રામ ભક્તો માટે પ્રવેશ દ્વાર ખુલ્લા થઈ ગયા છે. ત્યારે ઉત્સાહના આ માહોલમાં એરલાઈન્સ પણ વિવિધ ઓફરો સાથે મુસાફરોને આકર્ષી રહી છે.

by Bipin Mewada
Spice Jet has brought this great offer.. Book a flight for just this much rupees and reach Ayodhya.

News Continuous Bureau | Mumbai 

Ayodhya Ram Mandir: અયોધ્યા રામ મંદિરનો અભિષેક પૂર્ણ થઈ ગયો છે. રામ મંદિરને લઈને લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે આ ક્ષણની ઉજવણી કરી રહ્યો છે. આ અવસરને વધુ ખાસ બનાવવા માટે એરલાઈન કંપની સ્પાઈસ જેટે ( SpiceJet  ) પણ તેના ગ્રાહકો માટે સસ્તી ફ્લાઈટની જાહેરાત કરી છે. આ ફ્લાઈટ સેવા ( Flight service ) દેશના અલગ-અલગ શહેરોમાંથી શરૂ કરવામાં આવશે. 

એરલાઇન કંપનીએ દેશના મોટા શહેરોથી 1622 રૂપિયામાં ફ્લાઇટ ટિકિટ ( Flight ticket ) ઓફર કરી છે. સ્પાઈસ જેટના જણાવ્યા અનુસાર, રૂ. 1622નું ભાડું ( Ticket Fair ) મુંબઈ-ગોવા, દિલ્હી-જયપુર અને ગુવાહાટી-બાગડોગરા જેવા મુસાફરી સ્થળોમાં ( travel destinations ) આ સ્થાનિક રૂટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય કેટલાક શહેરોમાંથી પણ સમાન ભાડા પર ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે.

આ ઓફર હેઠળ સીટો વહેલા તે પહેલાના ધોરણે વહેંચવામાં આવશે…

સ્પાઈસ જેટ 1લી ફેબ્રુઆરીથી ( Ayodhya  ) અયોધ્યા સાથે ડાયરેક્ટ કનેક્ટિવિટી શરૂ કરી રહી છે. આ ફ્લાઈટ્સ ચેન્નાઈ, અમદાવાદ, દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, જયપુર, પટના અને દરભંગા જેવા મુખ્ય શહેરોને જોડશે. આ ઓફરમાં અયોધ્યા આવતી અને જતી નવી ફ્લાઈટ્સની ઈન્વેન્ટરીનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો : Rahul Gandhi: કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા વચ્ચે,રાહુલ ગાંધીને આ મંદિરમાં પ્રવેશતા અટકાવ્યા.. કાર્યકર્તાઓએ સરકાર પર કર્યા પ્રહારો.

સ્પાઈસજેટની આ ઓફર 22 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે, જેનું બુકિંગ 28 જાન્યુઆરી સુધી કરી શકાશે, જ્યારે તમે આમાં ટ્રાવેલ 30 સપ્ટેમ્બર, 2024 સુધી કરી શકાશો. આ ઓફર અમુક પસંદગીના શહેરોમાંથી જ શરૂ કરવામાં આવી છે. આ ઓફર હેઠળ સીટો વહેલા તે પહેલાના ધોરણે વહેંચવામાં આવશે. આ ઑફરનો લાભ ગ્રુપ બુકિંગ પર નહીં મળે. આ ઑફરને કોઈપણ અન્ય ઑફર સાથે મર્જ કરી શકાતી નથી. આ સિવાય જો તમે ટિકિટ કેન્સલ કરાવો છો તો કેન્સલેશન ચાર્જની કપાત સાથે પૈસા પરત કરવામાં આવશે.

આ ઓફરમાં તમે તમારી મુસાફરીની તારીખ પણ ફ્રિમાં અપડેટ કરી શકો છો. આ સિવાય તમને ભોજન પર 30 ટકા ડિસ્કાઉન્ટ પણ આપવામાં મળશે. આ માટે તમારે બુકિંગ વખતે સ્પાઈસજેટની મોબાઈલ એપનો ઉપયોગ કરવો પડશે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More