ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 નવેમ્બર, 2021
મંગળવાર
દેશનાં સ્ટૉક એક્સચેન્જોએ T+1 સેટલમેન્ટ સાઇકલનો અમલ આગામી 25 ફેબ્રુઆરીથી તબક્કા વાર કરવાનો નિર્ણય લીધો છે.
સ્ટૉક એક્સચેન્જો તથા માર્કેટની માળખાકીય સુવિધાઓ પૂરી પાડનારી સંસ્થાઓએ સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે નવી સેટલમેન્ટ સાઇકલનો અમલ 25 ફેબ્રુઆરીથી તળિયાની 100 કંપનીઓ માટે શરૂ થશે.
T+1નો અર્થ છે કે એક્સચેન્જમાં સોદો થયાના 1 દિવસની અંદર એની પતાવટ કરવાની રહેશે. હાલ એક્સચેન્જોમાં T+2 ધોરણે પતાવટ થાય છે.
T+1 સેટલમેન્ટ વ્યવસ્થામાં ડીમેટ ખાતામાં બીજા જ દિવસે શેર જમા થઈ જશે. જ્યારે શેર વેચનારના ખાતામાં પણ બીજા દિવસે સાંજ સુધીમાં પૈસા જમા થઈ જશે. T+1 વ્યવસ્થાને પગલે બજારમાં તરલતા વધશે.
આ ફેરફારને કારણે ભારત 2022 સુધીમાં સંપૂર્ણપણે T+1 સાયકલમાં સ્થાનાંતરિત કરનાર દેશોમાંથી એક દેશ બની જશે.
ઉલ્લેખનીય છે કે સેબીએ સપ્ટેમ્બરમાં જ શેર બજારોને 1,જાન્યુઆરી 2022થી ઈક્વિટી સેગ્મેન્ટમાં ઉપલબ્ધ કોઈપણ સિક્યુરિટીઝમાં ટી પ્લસ વન સેટલમેન્ટ સાઈકલ દાખલ કરવાની પરવાનગી આપી હતી.