Godrej: તાળું તો ગોદરેજ નું જ, વિશ્વાસથી શરૂ થયો ધંધો હવે બે લાખ કરોડ ની સંપત્તિ. જાણો ગોદરેજ વિશે બધું જ.

Godrej: આશરે 127 વર્ષ પહેલા અંગ્રેજોના શાસનમાં વેપાર શરૂ કરીને ગોદરેજ હવે લાખો કરોડના આસામી છે.

by Hiral Meria
Story of rising empire of Godrej.

News Continuous Bureau | Mumbai 

Godrej: ગોદરેજ એટલે એક વિશ્વાસ. એક જમાનામાં ગોદરેજ ના તાળાને ( Godrej locks ) સૌથી મજબૂત તાળા માનવામાં આવતા હતા. આ કંપનીએ તાળા ચાવીથી પોતાનો વ્યવસાય શરૂ કર્યો અને ત્યારબાદ અંગ્રેજો માટે તિજોરી પણ બનાવી. આજની તારીખમાં ગોદરેજ કંપનીનો કારોબાર 90 દેશોમાં ફેલાયેલો છે અને તેની સંપત્તિ આશરે અઢી લાખ કરોડ રૂપિયા છે.

Godrej: તાળાથી શરૂ કરીને ચંદ્રયાન અને ચૂંટણીમાં મત પેટીઓ બનાવી.

અનેક લોકોને વિશ્વાસ નહીં થાય પરંતુ ગોદરેજ ( Godrej Group ) પરિવારે 127 વર્ષ પહેલાં તાળા ચાવી બનાવવાની શરૂઆત કરી અને હાલ મિશન ચંદ્રયાન ( Mission Chandrayaan ) માં પણ તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. વર્ષ 1897 માં અરદેશર ગોદરેજ ( Ardeshir Godrej ) અને તેમના ભાઈ પિરોજ શાહ ગોદરેજ દ્વારા ગોદરેજ ની સ્થાપના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 1951 ના વર્ષમાં જ્યારે ભારત દેશમાં લોકસભાની પહેલી ચૂંટણી થઈ ત્યારે ગોદરેજ કંપનીએ મત પેટીઓ બનાવી હતી.

આ સમાચાર પણ વાંચો :  IMD: ભારતીય હવામાન વિભાગે મે 2024 ના પહેલા અઠવાડિયા માટે હવામાનની આગાહી જાહેર કરી

Godrej: ગોદરેજ કંપનીનો કારોબાર આ રીતે વધ્યો. 

જ્યારે ગોદરેજ બજારમાં આવ્યું ત્યારે ટાટા કંપની પણ પોતાનો વ્યવસાય આગળ વધારી રહી હતી. વર્ષ 1958માં ગોદરેજ કંપનીએ રેફ્રિજરેટર બનાવ્યું હતું. આમ તાળાથી શરૂ કરીને તેઓ રેફ્રિજરેટર સુધી પહોંચી ગયા, લોકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેમને  typewriterનું મેન્યુફેક્ચરિંગ પણ શરૂ કર્યું. વર્ષ 1963 માં ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ની એન્ટ્રી થઈ અને ત્યારબાદ ગોદરેજે ઝપાટાવેર કામ શરૂ કર્યું. એફએમસીજી સેક્ટરમાં તેમજ કન્ઝ્યુમર પ્રોડક્ટમાં તેઓ ઝડપથી આગળ વધ્યા. આજની તારીખમાં ગોદરેજ કંપનીની પાંચ કંપનીઓ શેર બજારમાં છે. જેમાં ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ગોદરેજ એગ્રો વેટ, અને એસ્ટેક લાઈફ સાયન્સ જેવી કંપનીઓ સામેલ છે. આમ ગોદરેજ કંપનીએ સતત પોતાનો કારોબાર વધાર્યો અને આજે તેની સંપત્તિ આશરે અઢી લાખ કરોડ રૂપિયા જેટલી છે.

 

Join Our WhatsApp Community

You may also like