આ વ્યકિતના કહેવાથી રતન તાતાએ ખરીદ્યુ હતું ઍર ઇન્ડિયા, જાણો એ વ્યકિત વિશે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 15 ઑક્ટોબર, 2021

શુક્રવાર

તાતા સન્સે ૧૮,૦૦૦ કરોડમાં ઍર ઇન્ડિયાને ખરીદી છે. ઍર ઇન્ડિયા હાલના મૅનેજમેન્ટના નેતૃત્વનું આ સૌથી મોટું સંપાદન છે. તાતા ટ્રસ્ટના ચૅરમૅન રતન તાતાએ ઍર ઇન્ડિયા માટે બિડ કરવાના નિર્ણયનો શ્રેય તાતા ગ્રૂપના ચૅરમૅન એન. ચંદ્રશેખરનને આપ્યો છે.

 

રતન તાતાએ જણાવ્યું હતું કે તાતા સન્સે જે નિર્ણય લીધો હતો એ સંપૂર્ણપણે ગ્રૂપ ચૅરમૅન ચંદ્રશેખરનના નેતૃત્વ હેઠળના લોકો દ્વારા હાથ ધરવામાં આવેલા તારણ પર આધારિત હતો. તાતાએ કહ્યું હતું કે સાચું છે કે મને ઉડ્ડયનનો શોખ છે અને વિવિધ પ્રકારનાં વિમાનોમાં ટાઇપ રેટેડ પાઇલટ તરીકે મેં સારો સમય માણ્યો છે, જોકે ઍર ઇન્ડિયા માટે બોલી લગાવવાના નિર્ણયમાં હું સામેલ નથી. હકારાત્મક લાગણી છે કે અમે ઍર ઇન્ડિયાને મહત્ત્વના સ્તરે સ્થાપવામાં મદદ કરવા માટે પ્રયત્ન કરી શકીએ છીએ.  

શું તમે જાણો છો કે દશાનન એટલે કે રાવણને યુદ્ધમાં શ્રીરામચંદ્રજી પહેલાં 4 લોકોએ તેને હરાવી દીધા છે, ચાલો આજે જાણીએ

તાતા સન્સ સામે અત્યારે બે મોટા પડકારો છે. ઍર ઇન્ડિયાના અગાઉના મૅનેજમેન્ટનો ગ્રાહકો પ્રત્યે ઉદાસીન અને બેદરકાર પ્રતિભાવ હતો. તાતાએ વિમાન કર્મચારીઓની આ આંતરવ્યક્તિત્વ કુશળતા પર કામ કરવું પડશે. તાતા સામે અન્ય પડકારો એ છે કે  નાણાકીય દૃષ્ટિકોણથી ઍરલાઇન બ્રાન્ડની ઑપરેશનલ સધ્ધરતાને સુનિશ્ચિત કરવી પડશે.

 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More