News Continuous Bureau | Mumbai
Wheat: એકંદરે ખાદ્ય સુરક્ષાનું વ્યવસ્થાપન કરવા અને સંગ્રહખોરી અને અનૈતિક અટકળોને રોકવા માટે, ભારત સરકારે ( indian government ) નિર્ણય લીધો છે કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વેપારીઓ / જથ્થાબંધ વેપારીઓ, રિટેલરો, બિગ ચેઇન રિટેલર્સ અને પ્રોસેસર્સે ઘઉંની તેમની સ્ટોક પોઝિશન પોર્ટલ (https://evegoils.nic.in/wheat/login.html) પર 01.07.2019થી 01-04-2024 અને તે બાદ, આગામી આદેશ સુધી દર શુક્રવારે જાહેર કરવાની રહશે. તમામ સંબંધિત કાયદાકીય સંસ્તાઓ તે સુનિશ્ચિત કરે કે પોર્ટલ પર સ્ટોકનો નિયમિતપણે અને યોગ્ય રીતે જાહેર કરવામાં આવે.
આ ઉપરાંત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તમામ કેટેગરીની સંસ્થાઓ માટે ઘઉંના સ્ટોકની ( Wheat Stock ) લિમિટ 31.03.2024ના રોજ પૂર્ણ થઈ રહી છે. ત્યારબાદ સંસ્થાઓને પોર્ટલ પર ઘઉંના જથ્થાનો ( wheat quantity ) ખુલાસો કરવાનો રહેશે. તમામ કેટેગરીની સંસ્થાઓ દ્વારા ચોખાના જથ્થાની ઘોષણા પહેલાથી જ લાગુ છે. પોર્ટલ પર રજિસ્ટર્ડ ન હોય તેવી કોઈ પણ સંસ્થા પોતાની નોંધણી કરાવી શકે છે અને દર શુક્રવારે ઘઉં અને ચોખાના જથ્થાને જાહેર કરવાનું શરૂ કરી શકે છે. હવે, તમામ કાનૂની સંસ્થાઓએ તેમના ઘઉં અને ચોખાના જથ્થાને નિયમિતપણે પોર્ટલ પર જાહેર કરવા પડશે.
આ સમાચાર પણ વાંચો : Rameshwaram Cafe Blast: રામેશ્વરમ કેફે બ્લાસ્ટ પર NIAની મોટી કાર્યવાહી, 3 રાજ્યોમાં 18 સ્થળો પર દરોડા, મુખ્ય સુત્રધારની ધરપકડ..
ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ ( Food and Public Distribution Department ) ઘઉં અને ચોખાના જથ્થાની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે, જેથી કિંમતોને અંકુશમાં રાખી શકાય અને દેશમાં સરળતાથી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી શકાય
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
