FDઑટો રિન્યુઅલ સંદર્ભેના નવા નિયમો સામાન્ય લોકોને લાગુ નહિ પડે; RBIએ કરી આ સ્પષ્ટતા, જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૮ જુલાઈ ૨૦૨૧

ગુરુવાર

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ FDના ઑટો રિન્યુઅલ સંદર્ભેના નવા નિયમો બાબતે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે રિટેલ FDના નિયમોમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યા નથી. નવા નિયમો માત્ર બિઝનેસ હાઉસિસ અથવા કંપનીઓ માટે જ બનાવવામાં આવ્યા છે. એટલે કે આ કંપનીઓની મોટી FD પાકતાંઑટો રિન્યુ થશે નહીં અને મુદત પૂર્ણ થતાં સેવિંગ ઍકાઉન્ટના જ વ્યાજદર લાગુ થશે.

RBIના આ નવા નિયમથી લોકો નારાજ થયા હતા, એથી RBIએ સ્પષ્ટતા કરતાં આ નિવેદન આપ્યું છે કે આ નિયમો સામાન્ય લોકોની નાની મૂડીને અસર કરશે નહિ. સામાન્ય નાગરિકો દ્વારા જમા કરવામાં આવેલી FD માટે રિન્યુઅલના જૂના નિયમો જ લાગુ રહેશે. આ અગાઉના આદેશમાં RBIએ આ ફેરફારની જાણ કરતું પરિપત્ર બહાર પાડ્યું હતું.

નિયમોની ઐસી કી તૈસી BMC કર્મચારીઓ પોતાની પત્નીઓની કંપનીને નામે લઈ રહ્યા છે BMCના લાખો રૂપિયાના કૉન્ટ્રૅક્ટ, ઉચ્ચ અધિકારીઓની મિલીભગતની શંકા; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે હવે આ નવા નિયમ મુજબ કંપનીઓની FDઑટો રિન્યુ થશે નહિ. RBIએ આ સંદર્ભે બૅન્કના બોર્ડને પારદર્શક નીતિ ઘડવા કહ્યું છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More