Bharti Airtel Share: ભારતી એરટેલ લિમિટેડના શેર ખરીદનારાઓમાં મચી લૂંટ, નિષ્ણાતોના મતે શેર 1600 રૂપિયા પાર કરશે, આવ્યો આ નવો ટાર્ગેટ ભાવ..

Bharti Airtel Share: ચોથા ક્વાર્ટરના પરિણામો પછી, જેપી મોર્ગને એરટેલના શેરની ટાર્ગેટ કિંમત 1100 રૂપિયાથી વધારીને 1330 રૂપિયા કરી દીધી હતી. ચોથા ક્વાર્ટરમાં ભારતી એરટેલના પરિણામો જોઈને ઘણી બ્રોકરેજ કંપનીઓએ ભારતી એરટેલ શેરના લક્ષ્યાંક ભાવમાં વધારો કર્યો હતું…

by Bipin Mewada
There is loot among the buyers of shares of Bharti Airtel Limited, according to experts, the share will cross Rs 1600, this is the new target price.

 News Continuous Bureau | Mumbai 

Bharti Airtel Share: દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની ભારતી એરટેલનો શેર ગયા મહિને એટલે કે એપ્રિલમાં નવી ટોચે પહોંચ્યો હતો. હાલમાં એરટેલના શેરની કિંમત 1339 રૂપિયા પર હતો. આ શેરની તેની 52 સપ્તાહની ઊંચી સપાટી 1,362.75 રૂપિયા પહોંચ્યો હતો. 

ચોથા ક્વાર્ટરના પરિણામો પછી, જેપી મોર્ગને એરટેલના શેરની ( Stock Market ) ટાર્ગેટ કિંમત 1100 રૂપિયાથી વધારીને 1330 રૂપિયા કરી દીધી હતી. ચોથા ક્વાર્ટરમાં ભારતી એરટેલના પરિણામો જોઈને ઘણી બ્રોકરેજ કંપનીઓએ ભારતી એરટેલ શેરના લક્ષ્યાંક ભાવમાં વધારો કર્યો હતું. જેમાં ઘણી બ્રોકરેજ ફર્મ્સનું માનવું છે કે ચોથા ક્વાર્ટરમાં આ કોમ્યુનિકેશન કંપનીના પરિણામો અપેક્ષા મુજબ આવ્યા હતા.

 Bharti Airtel Share: ટોપની ભારતીય બ્રોકરેજ ફર્મે પણ હવે ભારતી એરટેલ બિઝનેસને લઈને સકારાત્મક સંકેત આપ્યા છે….

જ્યારે નોમુરાએ ભારતીય એરટેલ કોમ્યુનિકેશન કંપનીના શેરની ( Share Price ) ટાર્ગેટ કિંમત વધારીને હવે 1550 રૂપિયા કરી દીધી છે. આમાં નોમુરા ફર્મનું માનવું છે કે ભારતી એરટેલ તેના ઉચ્ચ-ગુણવત્તાવાળા ગ્રાહકોના સમર્થન મેળવવાનું હજુ પણ ચાલુ રાખશે અને 5Gમાં કંપનીની નોંધપાત્ર ડિજિટલ પહેલથી પણ શેર વધુ લાભ મેળવશે.

આ ઉપરાંત ટોપની ભારતીય બ્રોકરેજ ફર્મે ( Indian brokerage firm )  પણ હવે ભારતી એરટેલ બિઝનેસને લઈને સકારાત્મક સંકેત આપ્યા છે. આ ફર્મે ભારતી એરટેલના શેરની ટાર્ગેટ કિંમત વધારીને હવે રૂ. 1640 કરી દીધી હતી, જે વર્તમાન ભાવ કરતાં લગભગ 25 ટકા વધુ છે. તો બેંક ઓફ બરોડાએ ન્યુટ્રલ રેટિંગ સાથે એરટેલના સ્ટોક પર 1430 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો હતો.

આ સમાચાર પણ વાંચો: Ghatkopar Hoarding Collapse: ઘાટકોપર હોર્ડિંગ અકસ્માતમાં વધુ એક ઘાયલ વ્યક્તિનું મોત, મૃત્યુઆંક વધીને 17 થયો..

 Bharti Airtel Share: એરટેલે માર્ચ ક્વાર્ટર દરમિયાન વાર્ષિક ધોરણે રૂ. 2072 કરોડના કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં 31 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો…

ઉલ્લેખનીય છે કે, એરટેલે માર્ચ ક્વાર્ટર દરમિયાન વાર્ષિક ધોરણે રૂ. 2072 કરોડના કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં 31 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. બીજી તરફ, કામગીરીમાંથી કંપનીની આવક 4 ટકા વધીને રૂ. 37599 કરોડ થઈ હતી. જો કે, માર્ચ ક્વાર્ટર દરમિયાન યુઝર દીઠ સરેરાશ આવક ઘટીને 209 રૂપિયા થઈ ગઈ હતી.

ભારતીય એરટેલ કોમ્યુનિકેશન કંપનીએ હાલ તેની સેવાઓમાં પણ સુધારો કર્યો છે. તેથી આ અંગે બ્રોકરેજ ફર્મોનું કહેવું છે કે એરટેલ લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહી છે. જેના કારણે ચોથા ક્વાર્ટરમાં ગ્રાહક દીઠ કમાણી વધીને 209 રૂપિયા થઈ ગઈ હતી, જે અગાઉની 193 રૂપિયાની કમાણી કરતાં 16 રૂપિયા વધુ હતી.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Join Our WhatsApp Community

You may also like