Site icon

દાળ અને કઠોળ પરની સ્ટૉક લિમિટને લઈ નારાજ વેપારીઓ કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં આ તારીખે જથ્થાબંધ માર્કેટમાં બંધ પાળશે; જાણો વિગત

Tomato relief, but pulses increased the tension of housewives,

Tomato relief, but pulses increased the tension of housewives,

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૭ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

કેન્દ્ર સરકારે દાળ અને કઠોળ પર સ્ટૉક લિમિટનો જે નિર્ણય લીધો છે, એનાથી વેપારી વર્ગમાં ભારે અસંતોષ છે. દેશમાં દાળ અને કઠોળની અછત નથી, છતાં સ્ટૉક લિમિટ લાદવામાં આવી હોવાથી નારાજ વેપારીઓએ હવે એક દિવસના બંધનું એલાન કરી દીધું છે. ૧૬ જુલાઈના રોજ તમામ વેપારી સંગઠનોએ જથ્થાબંધ માર્કેટમાં બંધ પાળવાનો નિર્ણય લીધો છે.

આ અંગે ચેમ્બર ઑફ ઍસોસિયેશન ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઑફ ટ્રેડના ચૅરમૅન મોહન ગુરનાનીએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “APMCના લીડર અને મહારાષ્ટ્રનાં બીજા વેપારી સંગઠનોએ ૧૬ જુલાઈથી શરૂ થતા સંસદના સત્રના દિવસે એક દિવસનો બંધ પાળવાનું નક્કી કર્યું છે.” તેઓ કહે છે કે સ્ટૉક લિમિટ ત્યારે લાદવામાં આવે છે, જ્યારે માર્કેટમાં ભાવવધારો હોય, પરંતુ હાલ મિનિમમ સપોર્ટ પ્રાઇઝ (MSP) કરતાં પણ ભાવ ઓછા છે. આવામાં આ સ્ટૉક લિમિટ નાખવી ભ્રષ્ટાચારને નોંતરવા જેવું છે. ઉપરાંત આ વેપારીઓનું પણ શોષણ છે.

આ બાબતે ગ્રેન રાઇસ ઍન્ડ ઑઇલ સીડ્સ મર્ચન્ટ ઍસોસિયેશન (ગ્રોમા)ના પ્રમુખ શરદ મારૂએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “હજી ગત વર્ષે જ મુક્ત વ્યાપારને પ્રોત્સાહન આપવા સ્ટૉક લિમિટ હટાવી હતી. એવામાં ફરી આ પગલાથી વેપારીઓની હાલાકી વધશે.” વેપારીઓને કોરોનાના કારણે પહેલેથી જ નુકસાન થયું છે. એમાં આ પગલું પડ્યા ઉપર પાટું જેવું સાબિત થશે.

શિક્ષકોએ કેટલું કામ કરવાનું? વિદ્યાર્થીઓને ભણાવવાના, ચૂંટણીની તૈયારી અને હવે વેક્સિનની; જાણો મહારાષ્ટ્રના શિક્ષકોની તકલીફ

ઉલ્લેખનીય છે કે વેપારીઓ સિઝનમાં માલ ભરી રાખે છે અને કોલ્ડ સ્ટોરેજમાં તેને સાચવવામાં આવે છે, જેથી ગ્રાહકોને વર્ષ દરમિયાન સમાન ગુણવત્તાની વસ્તુ મળે. આ સ્ટૉક લિમિટને કારણે કોલ્ડ સ્ટોરેજ નહિ,પણ દુકાનોમાં પૂરતો માલ ભરી શકાશે નહીં.

India Exports: ટ્રમ્પના ટેરિફ થી વેપાર ની હાલત ખરાબ, ઓગસ્ટમાં નિકાસ 16.3% ઘટી, આ સેક્ટર પર સૌથી વધુ અસર
Silver Prices: ચાંદીના ભાવમાં આવ્યો ઉછાળો, શું એક સાથે ચાંદીમાં રોકાણ કરવું સલામત છે? જાણો એક્સપર્ટ નો મત
GST New Rates: સરકાર દ્વારા GSTમાં ઘટાડાનું નોટિફિકેશન બહાર પડાયું, જાણો 22 સપ્ટેમ્બરથી શું-શું સસ્તું થશે
GST Rate Cut: જીએસટીના દરમાં ઘટાડા થી થશે કાર ની કિંમત માં મોટો ફેરફાર, 22 સપ્ટેમ્બરથી થશે લાગુ
Exit mobile version