Site icon

પડતાં પર પાટુ; કૃષિપેદાશ ખરીદનારાઓ માટે લાઇસન્સ ફરજિયાત કરવા માગતી મહારાષ્ટ્ર સરકાર : વિશ્વાસમાં લીધા વગર નવું બિલ નહીં લાવવાની વેપારીઓની ચોખ્ખી ચેતવણી, જાણો વધુ વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 16 જૂન 2021

Join Our WhatsApp Community

બુધવાર

કોરોના મહામારીને પગલે આર્થિક ફટકામાંથી હજી વેપારીઓ બહાર આવી શક્યા નથી. મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ મહાનગરપાલિકાના નવા-નવા નિયમોને કારણે તેમના વેપારને વધુ અસર થઈ રહી છે, ત્યારે મહારાષ્ટ્ર સરકારે વિધાનસભાના ચોમાસું સત્રમાં કૃષિપેદાશ ખરીદનારાઓ માટે લાઇસન્સ ફરજિયાત કરવાનું બિલ લાવવાનું પ્રસ્તાવિત કર્યું છે.

વેપારીઓની વિદેશી કંપનીઓ સામે સિગ્નેચર ઝુંબેશ, વિદેશી ઈ-કૉમર્સને કારણે બંધ પડેલી દુકાનોનો સર્વે કરવાની સરકાર સમક્ષ માગણી; જાણો વધુ વિગત

સરકારના આ પ્રસ્તાવિત બિલ સામે વેપારીઓએ વિરોધ દર્શાવ્યો છે. વેપારીઓના કહેવા મુજબ  વિશ્વાસમાં લીધા વગર બિલ લાવ્યા તો આંદોલન કરીશું. નવી મુંબઈનાં વેપારી મંડળોના કહેવા મુજબ 2016માં મહારાષ્ટ્ર સરકારે મલ્ટિનૅશનલ કંપની, મૉલ્સ તથા સુપર માર્કેટને APMCના કાયદામાંથી છૂટ આપી છે. પછી હવે વેપારીઓ માટે આ કૃષિપેદાશ ખરીદી કરવા માટે લાઇસન્સ ફરજિયાત કરવાનું કારણ શું? સરકારે કોઈ પણ કાયદો લાવતાં પહેલાં વેપારીઓને વિશ્વાસમાં લેવા જ પડશે. અન્યથા વિરોધ કરવા આંદોલનનો જ માર્ગ અપનાવો પડશે.

Gold Price Drop: સોનાના ભાવમાં મોટો ધડાકો! રેકોર્ડ હાઈથી સીધું ₹૨૮,૦૦૦ સસ્તું થયું સોનું; જાણો આજના લેટેસ્ટ ભાવ અને ઘટાડાનું કારણ.
Share Market Crash: શેરબજારમાં ‘બ્લેક થર્સડે’: ખુલતાની સાથે જ સેન્સેક્સ ૧૯૫૩ પોઈન્ટ કકડભૂસ, રોકાણકારોના લાખો કરોડ રૂપિયા પળવારમાં સાફ.
LPG Crisis in India: હોર્મુઝમાં ફસાયેલી ભારતની ‘લાઇફલાઇન’! ૨૨ જહાજો અટકાતા ગેસ સપ્લાય ખોરવાયો; જાણો દેશમાં કેટલા દિવસનો સ્ટોક બાકી
Airlines Seat Booking Rules: પ્લેનમાં મનપસંદ સીટ બુક કરાવવી હવે થશે સસ્તી, એરલાઈન્સ કંપનીઓ મનફાવે તેમ વસૂલી નહીં શકે ચાર્જ; જાણો નવા નિયમો.’
Exit mobile version