Uday Kotak Resigns: કોટક મહિન્દ્રા બેંકના MD અને CEO ઉદય કોટકે આપી દીધું રાજીનામું, જાણો હવે કોણ સંભાળશે જવાબદારી..

Uday Kotak Resigns: ઉદય કોટકે શનિવારે કોટક મહિન્દ્રા બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પદ પરથી રાજીનામું આપી દીધું છે. વચગાળાની વ્યવસ્થા હેઠળ, ઉદય કોટકના સ્થાને જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર દિપક ગુપ્તા 31 ડિસેમ્બર સુધી બેંકનો ચાર્જ સંભાળશે. જો કે, બેંકને આ માટે આરબીઆઈ અને બેંકના સભ્યો પાસેથી મંજૂરી મળવાની બાકી છે.

by kalpana Verat
Uday Kotak resigns as Kotak Mahindra Bank MD and CEO, Dipak Gupta takes interim charge

News Continuous Bureau | Mumbai 

Uday Kotak Resigns: પીઢ બેંકર ઉદય કોટકે ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેંકના મેનેજિંગ ડિરેક્ટર (MD) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ના પદ પરથી તાત્કાલિક અસરથી રાજીનામું આપી દીધું છે. તેઓ ઘણા વર્ષો સુધી ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેંકનું નેતૃત્વ કરી રહ્યા હતા. બેંકે આજે શનિવારે શેરબજારને આ જાણકારી આપી છે. બેંકે જણાવ્યું છે કે ઉદય કોટકનું રાજીનામું 1 સપ્ટેમ્બરથી જ લાગુ થઈ ગયું છે.

બેંકે કહ્યું કે ઉદય કોટક 31 ડિસેમ્બર, 2023ના રોજ નિવૃત્ત થવાના હતા. આના લગભગ 4 મહિના પહેલા રાજીનામું આપ્યું દીધું છે. બેંકે કહ્યું કે જોઈન્ટ એમડી દીપક ગુપ્તા 31 ડિસેમ્બર સુધી ઉદય કોટકની જવાબદારીઓ સંભાળશે. બેંકે 1 જાન્યુઆરી, 2024થી નવા MD અને CEOની મંજૂરી માટે RBIને અરજી કરી છે.

ઉદય કોટકે શું કહ્યું

દેશના સૌથી ધનિક બેંકર ઉદય કોટકે બેંકના બોર્ડને લખેલા પત્રમાં લખ્યું – મારી પાસે હજુ થોડા મહિના બાકી છે પરંતુ હું તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું. મેં મારા નિર્ણય પર વિચાર કર્યો છે અને હું માનું છું કે કોટક મહિન્દ્રા બેંક માટે તે યોગ્ય છે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai Mega Block : મુંબઈમાં આવતીકાલે સેન્ટ્રલ, હાર્બર લાઇન પર મેગાબ્લોક; તો આજે રાત્રે આ રેલવે લાઈન પર નાઈટ બ્લોક.. મુસાફરોને થશે હાલાકી..

આરબીઆઈના નિયમોની અસર 

આરબીઆઈના નવા નિયમો સીઈઓના કાર્યકાળને મર્યાદિત કરે છે, ઉદય કોટક માટે ઓફિસ ચાલુ રાખવાની શક્યતા નથી. જણાવી દઈએ કે ઉદય કોટકે 1985માં નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપની તરીકે કોટક મહિન્દ્રા બેંકની શરૂઆત કરી હતી. 2003માં તેને સંપૂર્ણ સુવિધાયુક્ત કોમર્શિયલ બેંક તરીકે લાયસન્સ આપવામાં આવ્યું ત્યારથી તે બેંકનું નેતૃત્વ કરી રહ્યા છે. ઉદય કોટક બેંકમાં 26 ટકા હિસ્સો ધરાવે છે.

1985 થી સાથે હતા

કોટક મહિન્દ્રા બેંકની શરૂઆતથી જ ઉદય કોટક અગ્રણી હતા. કોટક મહિન્દ્રા બેંકની શરૂઆત વર્ષ 1985 માં બિન-બેંકિંગ નાણાકીય કંપની તરીકે કરવામાં આવી હતી. જે બાદ 2003માં તે કોમર્શિયલ બેંક બની. ઉદય કોટક 1985 થી બેંકનું નેતૃત્વ કરી રહ્યા છે. આ રીતે, કોટક મહિન્દ્રા બેંક સાથે ઉદય કોટકનો સંબંધ દાયકાઓ જૂનો છે.

3 સ્ટાફ સાથે શરૂઆત કરી હતી

આ પ્રસંગે ઉદય કોટકે યાદ કર્યું કે તેમણે કોટક મહિન્દ્રા બેંકની શરૂઆત કેવી રીતે કરી. તે કહે છે… હું જેપી મોર્ગન અને ગોલ્ડમૅન સૅક્સ જેવા નામો અને કેવી રીતે તેઓ નાણાકીય વિશ્વ પર પ્રભુત્વ ધરાવે છે તે જોતા હતા. હું ભારતમાં એક સમાન સંસ્થાનું સ્વપ્ન જોતો હતો. આ જ સપનું પૂરું કરવા માટે મેં 38 વર્ષ પહેલા કોટક મહિન્દ્રા બેંકની શરૂઆત કરી હતી. અમે 300 ચોરસ ફૂટની ઓફિસમાં 3 કર્મચારીઓ સાથે શરૂઆત કરી…

આજે, કોટક મહિન્દ્રા બેંક ભારતની સૌથી પ્રખ્યાત બેંકોમાંની એક બની ગઈ છે. આ બેંક હાલમાં એક લાખથી વધુ લોકોને સીધી રોજગારી પૂરી પાડી રહી છે. લગભગ 4 દાયકાની આ અજોડ સફરનો સારાંશ આપતા ઉદય કોટક કહે છે કે 1985માં બેંકમાં કરાયેલા 10,000 રૂપિયાના રોકાણની કિંમત આજે લગભગ 300 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More