Site icon News Continuous Bureau | Mumbai

UPI Payment: યુપીઆઈ મારફતે ટ્રાન્ઝેક્શન કરનારા માટે મોટા સમાચાર, UPIથી 1 લાખ નહીં આટલા લાખનું કરી શકશો ટ્રાન્ઝેક્શન, RBIએ કરી મોટી જાહેરાત..

UPI Payment: નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે જેનાથી દેશના લાખો કરદાતાઓને ફાયદો થશે. 16 સપ્ટેમ્બર, 2024 થી, વ્યક્તિઓ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) નો ઉપયોગ કરીને પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. 5 લાખ સુધીનો ટેક્સ ચૂકવી શકશે.

UPI Payment UPI Transaction Limit Increased To Rs 5 Lakh For These Payments

UPI Payment UPI Transaction Limit Increased To Rs 5 Lakh For These Payments

News Continuous Bureau | Mumbai 

UPI Payment:  હાલમાં દેશમાં UPI ટ્રાન્ઝેક્શન વધ્યું છે.  આજકાલ દરેક વ્યક્તિ નાના-મોટા નાણાકીય વ્યવહારો તેમજ મની ટ્રાન્સફર માટે UPI નો ઉપયોગ કરે છે. મોટા સ્ટોરથી લઈને રસ્તાની બાજુની નાની દુકાન સુધી, આજે દરેક વ્યક્તિ પાસે UPI પેમેન્ટ માટે QR કોડ ઇન્સ્ટોલ કરેલ છે. પરંતુ UPI વ્યવહારો માટેની દૈનિક મર્યાદા ઘણા લોકો માટે સમસ્યારૂપ હતી. આવી ફરિયાદ અનેક લોકોએ કરી હતી. હવે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ આના પર મોટો નિર્ણય લીધો છે અને 16 સપ્ટેમ્બરથી UPI ડેઈલી ટ્રાન્ઝેક્શન વધારવામાં આવ્યા છે.

Join Our WhatsApp Channel

આરબીઆઈ એ ઓગસ્ટમાં આપ્યા હતા સંકેત 

NPCI (નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા) એ ભારતીય રિઝર્વ બેંક (RBI) ના નિર્દેશો અનુસાર 16 સપ્ટેમ્બરથી ઘણા ક્ષેત્રોમાં UPI ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારવાનો નિર્ણય કર્યો છે. RBIની મોનેટરી પોલિસી કમિટીની બેઠક 8 ઓગસ્ટે મળી હતી. આ બેઠક બાદ RBIએ UPIની ટ્રાન્ઝેક્શન લિમિટ વધારવાનો સંકેત આપ્યો હતો. હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને NPCIએ તમામ UPI એપ, પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર અને બેંકોને આ અંગે જાણ કરી છે. UPI એ પણ સૂચન કર્યું છે કે દરેક વ્યક્તિએ પોતાની સિસ્ટમ અપડેટ કરવી જોઈએ.

હવે પાંચ લાખ રૂપિયા સુધીનો વ્યવહાર કરી શકાશે

NPCI અનુસાર, નવા નિયમો અનુસાર, હવે UPI દ્વારા 5 લાખ રૂપિયા સુધી ટેક્સ પેમેન્ટ કરી શકાશે. હોસ્પિટલ બિલ, શૈક્ષણિક ફી, IPO, RBIની રિટેલ ડાયરેક્ટ સ્કીમ જેવા વ્યવહારો માટે હવે 5 લાખ રૂપિયાના UPI ટ્રાન્ઝેક્શન કરી શકાશે.

આ સમાચાર પણ વાંચો :  Gujarat Farmers: ભુપેન્દ્ર પટેલ સરકારનો ચોથા વર્ષમાં થયો પ્રવેશ, ગુજરાતના ખેડૂતો માટે લીધા આ કલ્યાણકારી નિર્ણયો.

NPCIએ અગાઉ ડિસેમ્બર 2021 અને ડિસેમ્બર 2023માં UPI ટ્રાન્ઝેક્શન મર્યાદામાં સુધારો કર્યો હતો. હાલમાં, NPCI એ UPI સર્કલ દ્વારા એક જ ખાતામાંથી ઘણા લોકોના વ્યવહારની સુવિધા આપી છે.

બેંકો ટ્રાન્ઝેક્શન લિમિટ પણ સેટ કરે છે

હાલમાં ઉપર દર્શાવેલ વ્યવહારો સિવાયના તમામ પ્રકારના UPI વ્યવહારો પર દરરોજ 1 લાખ રૂપિયાની ટ્રાન્ઝેક્શન મર્યાદા છે. જો કે, દરેક બેંક તેની પોતાની ટ્રાન્ઝેક્શન મર્યાદા નક્કી કરી શકે છે. અલ્હાબાદ બેંકની UPI ટ્રાન્ઝેક્શન મર્યાદા 25,000 રૂપિયા છે. છે જ્યારે HDFC બેંક ICICI બેંક UPI ટ્રાન્ઝેક્શન મર્યાદા એક લાખ રૂપિયા છે. મૂડી બજાર, સંગ્રહ, વીમો, વિદેશી વ્યવહારો (ફોરેન ઇનવર્ડ રેમિટન્સ) માટે આ મર્યાદા બે લાખ રૂપિયા પ્રતિ દિવસ છે.

Subhash Chandra Loan Settlement ૨૨,૦૦૬ કરોડનું દેવું ને માત્ર ૬.૫ કરોડમાં પૂરું! સુભાષ ચંદ્રાના આ મામલે બેંકોને ૯૯.૯૭% નો ‘હેર કટ’, વિજય માલ્યાએ પણ ઉઠાવ્યા સવાલ
Samudra Manthan Plan વિદેશી નિર્ભરતા ઘટશે…? ઊંડા સમુદ્રમાં ખનન માટે ૮૪,૦૮૪ કરોડનું રોકાણ, ૬૦ નવા કૂવા ખોદાશે
Meta AI Failure AI પર ભરોસો કરવો મોંઘો પડ્યો! ૬૦ ટકા કર્મચારીઓને કાઢી મૂકવાની મેટાની યોજના થઈ ગઈ ફેલ; જાણો કારણ
Richer Than India But Weaker Currency અમીરીમાં ટોપ, પણ કરન્સીમાં ફ્લોપ જાણો કયા દેશોની કરન્સી ભારતીય રૂપિયા સામે પાણી ભરે છે!
Exit mobile version