Site icon News Continuous Bureau | Mumbai

આખરે વેચાઈ ગયું વિજય માલ્યાનું કિંગફિશર હાઉસ, આટલા કરોડમાં થયો સોદો. જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

ભારતના ભાગેડૂ ઉદ્યોગપતિ વિજય માલ્યાની માલિકીનું કિંગફિશર હાઉસ આખરે વેચાઈ ગયું છે.

હૈદરાબાદની એક રિયલ એસ્ટેટ ફર્મ દ્વારા તેને 52 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યું છે.

આ બિલ્ડિંગ ત્રણ માળની છે અને તેનો પૂરો એરિયા 1586 ચોરસ મીટર છે. જયારે તેનો કુલ વિસ્તાર 1,586 ચોરસ મીટર છે. જાણકારોના મતે આ પ્રોપર્ટી મુંબઈમાં એરપોર્ટ નજીક વૈભવી વિલે પાર્લે વિસ્તારમાં આવેલી છે.

આ પહેલા કિંગફિશર હાઉસની હરાજી કરવાના આઠ પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. માર્ચ 2016માં બેન્કોએ તેની રિઝર્વ પ્રાઈઝસ 150 કરોડ રૂપિયા રાખી હતી અને અત્યાર સુધી પ્રોપર્ટી નહીં વેચાવાનુ મુખ્ય કારણ આ જ હતું. 

ઉલ્લેખનીય છે કે ગયા મહિને યુકે હાઈકોર્ટે વિજય માલ્યા વિરુદ્ધ ‘નાદારીનો આદેશ’ જારી કર્યો હતો. ત્યારબાદ ભારતીય બેંકોને વિશ્વભરમાં તેમની સંપત્તિ જપ્ત કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને લોન આપનાર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ની આગેવાની હેઠળની બેન્કોના ખાતાઓમાં વધુ 792 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

મોટા સમાચાર: તાલિબાન સામે અફઘાન સરકાર ઘૂંટણિયે? રાષ્ટ્રપતિ અશરફ ગની લેશે આ નિર્ણય

Bombay High Court HDFC Bank Case। HDFC CEO ની મોટી જીત! હાઈકોર્ટે લાંચનો કેસ ફગાવી પોલીસને લગાવી ફટકાર, જાણો શું છે સમગ્ર મામલો?
Indian Bank Cyber Security Threat| સરકારી બેંકોમાં મોટો ફેરફાર સાયબર એટેકના વધતા જોખમો વચ્ચે લેવાયો મહત્વનો નિર્ણય, હવે સિસ્ટમ બનશે લોખંડી
LPG Price Update। LPG સિલિન્ડરના ભાવમાં રાહત કે આફત? જાણો લેટેસ્ટ રેટ્સ અને બુકિંગના બદલાયેલા નવા નિયમો
RBI Gold Reserves Return 2026। ૧૯૯૧ જેવી સ્થિતિ હવે ભૂતકાળ સોનાના ભંડાર મામલે ભારતનો મોટો નિર્ણય, વિદેશી બેંકોમાંથી ભારત કેમ ખસેડી રહ્યું છે પોતાનું ગોલ્ડ?
Exit mobile version