Vijay Shekhar Sharma: પેટીએમ પેમેન્ટ બેંકના ચેરમેન પદેથી વિજય શેખર શર્માએ આપ્યું રાજીનામું, બોર્ડની સદસ્યતા પણ છોડી..

Vijay Shekhar Sharma: Paytmના સ્થાપક વિજય શેખર શર્માએ ભારે સંકટ વચ્ચે Paytm Payments Bank Limited (PPBL)ના પાર્ટ-ટાઇમ નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે. વિજય શેખર શર્માએ બિઝનેસ બંધ કરવાની 15 માર્ચની સમયમર્યાદા પહેલા જ આ પગલું ભર્યું છે.

by kalpana Verat
- Vijay Shekhar Sharma Paytm Payments Bank Chairman Vijay Shekhar Sharma quits

News Continuous Bureau | Mumbai 

Vijay Shekhar Sharma: ભારતીય રિઝર્વ બેંકની કાર્યવાહી બાદ પેટીએમ પેમેન્ટ બેંકમાં ભારે ઉતાર ચડાવ જોવા મળી રહ્યાં છે. દરમિયાન, સોમવારે વિજય શેખર શર્માએ Paytm પેમેન્ટ બેંકના ચેરમેન પદ પરથી રાજીનામું આપી દીધું છે. One97 કોમ્યુનિકેશન લિમિટેડે Paytm પેમેન્ટ્સ બેંકના બોર્ડમાંથી તેના નોમિનીને પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે, ત્યારબાદ વિજય શેખર શર્માએ પણ બોર્ડના સભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે. અહેવાલો અનુસાર રિઝર્વ બેંકના નિયંત્રણોને પગલે કંપની તેના બોર્ડમાં ફેરબદલ કરી રહી છે.

  નવા ચેરમેનની નિમણૂક કરવામાં આવશે

PPBL એ હવે નવા ચેરમેનની નિમણૂક કરવાની પ્રક્રિયા શરૂ કરશે, કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન શ્રીનિવાસન શ્રીધર, નિવૃત્ત IAS અધિકારી દેવેન્દ્રનાથ સારંગી, બેંક ઓફ બરોડાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોક કુમાર ગર્ગ અને નિવૃત્ત IAS રજની સેખરી સિબ્બલ સ્વતંત્ર ડિરેક્ટર તરીકે બોર્ડમાં જોડાયા છે. આ સિવાય બોર્ડમાં પંજાબ એન્ડ સિંધ બેંકના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અરવિંદ કુમાર જૈન અને સ્વતંત્ર ડિરેક્ટર તરીકે Paytm પેમેન્ટ્સ બેંકના MD અને CEO સુરિન્દર ચાવલાનો સમાવેશ થાય છે.

 નવા બોર્ડની રચના

વિજય શેખર શર્માના રાજીનામા બાદ પેટીએમ પેમેન્ટ બેંકના બોર્ડની પણ પુનઃરચના કરવામાં આવી છે. જેમાં ઘણા નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. One97 કોમ્યુનિકેશન્સ લિમિટેડે એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેની સહયોગી પેટીએમ પેમેન્ટ્સ બેંકે નવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની નિમણૂક કરી છે. Paytm એ કહ્યું કે અમે આરબીઆઈના નિયમો હેઠળ અમારા બિઝનેસને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

 વિજય શેખર શર્મા પાસે 52 ટકા હિસ્સો છે

આરબીઆઈની કાર્યવાહી બાદ પેટીએમ પેમેન્ટ બેંકનું અસ્તિત્વ ખતરામાં છે. વિજય શેખર શર્મા આ બેંકના સૌથી મોટા શેરધારક છે. Paytmના સ્થાપક વિજય શેખર શર્મા Paytm પેમેન્ટ્સ બેંકમાં 51 ટકા હિસ્સો ધરાવે છે. બાકીની માલિકી Paytmની પેરેન્ટ કંપની One97 Communications પાસે છે. પેટીએમ પેમેન્ટ્સ બેંક અને વિજય શેખર શર્માની મુશ્કેલીઓ 31 જાન્યુઆરી, 2024 થી વધી ગઈ જ્યારે આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંક પર મોટી કાર્યવાહી કરી અને નવા ગ્રાહકોને જોડવા પર પ્રતિબંધ મૂક્યો.

આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan: અમિતાભ બચ્ચન ને છે અંબાણી પરિવાર સાથે ઘર જેવા સંબંધ, ટીના અંબાણી નો છે અભિષેક બચ્ચન સાથે ખાસ સંબંધ

આરબીઆઈએ આ તારીખ સુધી તેની કામગીરી બંધ કરવાનો આપ્યો છે આદેશ 

ગત મહિને ગંભીર સુપરવાઇઝરી ચિંતાઓને પગલે Paytm પેમેન્ટ્સ બેંક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકિંગ એકમને સતત બિન-પાલન અને સતત મટીરીયલ સુપરવાઇઝરી ચિંતાઓને કારણે 15 માર્ચ સુધીમાં તેનું કામકાજ બંધ કરવા જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે, ભારતીય રિઝર્વ બેંકે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCIને યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ એટલે કે UPI માટે થર્ડ-પાર્ટી એપ્લિકેશન પ્રોવાઈડર બનવા માટે Paytmની વિનંતીની તપાસ કરવાની સલાહ આપી છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More