અમદાવાદ – PMના ચાય પે ચર્ચા કેમ્પેઈન બાદ અખબારનગરની ઓળખ બનેલી કિતલી 2 વર્ષ બાદ ફરી લોકોને જોવા મળી

નવા વાડજ વિસ્તારમાં વિશાળ કિટલી મુકવામાં આવી છે. PMના ચાય પે ચર્ચા કેમ્પેઈન બાદ અખબારનગરની ઓળખ આ કિટલી અને તેનું સર્કલ હતું ત્યારે અગાઉ આ કીટલી હટાવી લેવાયા બાદ ફરીથી મુકવામાં આવી છે.

by kalpana Verat
AHMEDABAD - After PM's Chai Pe charcha campaign, the identity of Akhbarnagar was seen again after 2 years

News Continuous Bureau | Mumbai

નવા વાડજ વિસ્તારમાં વિશાળ કિટલી મુકવામાં આવી છે. PMના ચાય પે ચર્ચા કેમ્પેઈન બાદ અખબારનગરની ઓળખ આ કિટલી અને તેનું સર્કલ હતું ત્યારે અગાઉ આ કીટલી હટાવી લેવાયા બાદ ફરીથી મુકવામાં આવી છે.

અમદાવાદમાં અખબારનગર સર્કલ હવે કિટલી સર્કલ તરીકે ઓળખાય છે, જો કે, અગાઉ બે વર્ષ પહેલા આ કિટલી અહીંથી હટાવવામાં આવી હતી પરંતુ હવે ફરીથી મેટ્રોની કામગિરી પૂર્ણ થતા કિટલી સર્કલ ફરીથી શરુ થયું છે અને આ સર્કલની વચ્ચે વિશાળ કિટલી ફરીથી મુકવામાં આવી છે.

ખાસ કરીને આ કિટલી સર્કલ અગાઉ પીએમના ચાય પે ચર્ચા કેમ્પેઈન બાદ અસ્તિત્વમાં આવ્યું હતું. જેથી આ કિટલી પણ અમદાવાદમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. કેમ વાડજથી ચાંદલોડીયા અને શાસ્ત્રીનગરથી આરટીઓ જતા સર્કલ પર આ કીટલી મૂકવામાં આવી છે. જે બહારથી આવતા લોકો માટે વધુ આકર્ષણનું કેન્દ્ર છે. કેમ કે, મોટી કિટલી સર્કલની વચ્ચે મુકવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો:  મનીષ સિસોદિયાને યાદ કરીને ભાવુક થયા અરવિંદ કેજરીવાલ, આંખોમાં આવી ગયા આંસુ

2 વર્ષ અગાઉ મેટ્રોની કામગિરીના કારણે કિટલી અહીંથી લઈ લેવામાં આવી હતી અને હવે પુનઃ આ કીટલી મુકી દેવામાં આવી છે. એએમસી અને સિલ્વઓક કોલેજના ઉપક્રમે આ કિટલી તૈયાર કરવામાં આવી હતી. ત્યારે હવે ફરીથી આ સર્કલ રાબેતા મુજબ શરુ થઈ ગયું છે. જેથી હવે પહેલાની સરખામણીએ ટ્રાફીકની સમસ્યા પણ ઓછી રહે છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More