News Continuous Bureau | Mumbai
Express Train : મધ્ય રેલવેના ભુસાવલ મંડળ પર ખંડવા યાર્ડ રિમોડલિંગના કામના સંબંધમાં નોન ઇન્ટરલોકિંગ કામ ને કારણે , અમદાવાદ-બરૌની એક્સપ્રેસ અને અમદાવાદ-આસનસોલ સાપ્તાહિક એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ થી ચાલશે.. જેની વિગતો નીચે મુજબ છે:-
- 15,16,17,19,20,21 અને 22 જુલાઈ 2024 ના રોજ અમદાવાદથી ( Ahmedabad ) ચાલતી ટ્રેન નંબર 19483 અમદાવાદ-બરૌની એક્સપ્રેસ ( Ahmedabad-Barauni Express Train ) પરિવર્તિત માર્ગ વાયા આણંદ-છાયાપુરી-ગોધરા-રતલામ-ભોપાલ થઈને ચાલશે. આ દરમિયાન આ ટ્રેન પશ્ચિમ રેલવેના છાયાપુરી, રતલામ અને ઉજ્જૈન સ્ટેશનો પર રોકાશે.
- 14 થી 19 જુલાઇ 2024 સુધી, બરૌનીથી ચાલતી ટ્રેન નંબર 19484 બરૌની-અમદાવાદ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા ભોપાલ-રતલામ-ગોધરા-આણંદ-છાયાપુરી થઈને ચાલશે. આ ટ્રેન ને પશ્ચિમ રેલવેના ( Western Railway ) ઉજ્જૈન,રતલામ અને છાયાપુરી સ્ટેશનો પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
- 18 જુલાઈ 2024 ના રોજ અમદાવાદ થી ચાલતી ટ્રેન નંબર 19435 અમદાવાદ-આસનસોલ સાપ્તાહિક એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા છાયાપુરી-રતલામ-ભોપાલ થઈને ચાલશે. આ ટ્રેનને પશ્ચિમ રેલવેના છાયાપુરી, રતલામ અને ઉજ્જૈન સ્ટેશનો પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
- 20 જુલાઈ, 2024 ના રોજ, આસનસોલથી ચાલતી ટ્રેન નંબર 19436 આસનસોલ-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા ભોપાલ-રતલામ-છાયાપુરી થઈને ચાલશે.
આ સમાચાર પણ વાંચો : Godrej Consumer Products: ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે ગુડનાઇટ લિક્વિડ વેપોરાઇઝરમાં પેટન્ટેડ ભારતનું સૌપ્રથમ સ્વદેશી નિર્મિત મોસ્ક્વિટો રેપલન્ટ મોલેક્યુલ રજૂ કર્યું
ટ્રેનોના સ્ટોપેજના, સમય અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.