Ahmedabad:અમદાવાદ-દરભંગા અંત્યોદય અને અમદાવાદ-પટના સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત માર્ગથી ચાલશે

Ahmedabad:ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ સ્ટેશન પર નૉન ઈન્ટરલોકિંગ કામ તથા મેજર અપગ્રેડેશન કામના સંબંધમાં લાઈન નંબર 13,14,15 અને 16 ને બંધ કરવામાં આવી રહી છે.

by Akash Rajbhar
Ahmedabad-Darbhanga Antyodaya and Ahmedabad-Patna weekly express trains will run on altered route

News Continuous Bureau | Mumbai

Ahmedabad:ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ સ્ટેશન પર નૉન ઈન્ટરલોકિંગ કામ તથા મેજર અપગ્રેડેશન કામના સંબંધમાં લાઈન નંબર 13,14,15 અને 16 ને બંધ કરવામાં આવી રહી છે. જેના કારણે અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ અને અમદાવાદ-પટના એક્સપ્રેસ સાપ્તાહિક ટ્રેનો પરિવર્તિત માર્ગથી ચાલશે. જેની વિગતો નીચે પ્રમાણે છે.

• તાત્કાલિક અસરથી 25 ઓક્ટોબર 2024 સુધી અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 15560 અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માનિકપુર-પ્રયાગરાજ-પ્રયાગરાજ રામબાગ-વારાણસીને બદલે પરિવર્તિત માર્ગ વાયા માનિકપુર-પ્રયાગરાજ છિવકી-વારાણસી-જૌનપુરના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર રોકાશે.
• તાત્કાલિક અસરથી 23 ઓક્ટોબર 2024 સુધી દરભંગાથી ઉપડનારી ટ્રેન નંબર 15559 દરભંગા-અમદાવાદ અંત્યોદય એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ વાયા વારાણસી-પ્રયાગરાજ રામબાગ-પ્રયાગરાજ-માનિકપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા જૌનપુર-વારાણસી-પ્રયાગરાજ છિવકી-માનિકપુરના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર રોકાશે.

આ સમાચાર પણ વાંચોઃKolkata doctor rape-murder case: પશ્ચિમ બંગાળ બળાત્કાર કેસમાં સુપ્રીમ કોર્ટે ડોક્ટરોને પાછા ફરવાની કરી અપીલ, ડોક્ટરોને આપી આ ખાતરી…

• તાત્કાલિક અસરથી 20 ઓક્ટોબર 2024 સુધી અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 19421 અમદાવાદ-પટના સાપ્તાહિક એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માનિકપુર-પ્રયાગરાજ-પ્રયાગરાજ રામબાગ-વારાણસી-પં.દીનદયાળ ઉપાધ્યાયને બદલે પરિવર્તિત માર્ગ વાયા માનિકપુર-પ્રયાગરાજ છિવકી-પં.દીનદયાળ ઉપાધ્યાયના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર રોકાશે.
• તાત્કાલિક પ્રભાવથી 22 ઓક્ટોબર 2024 સુધી પટનાથી ઉપડનારી ટ્રેન નંબર 19422 પટના-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ વાયા પં. દીનદયાળ ઉપાધ્યાય-વારાણસી-પ્રયાગરાજ રામબાગ-પ્રયાગરાજ-માનિકપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા પં. દીનદયાળ ઉપાધ્યાય-પ્રયાગરાજ છિવકી-માનિકપુરના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર રોકાશે.

ટ્રેનોના રોકાણ, સમય અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More