Site icon News Continuous Bureau | Mumbai

Express Train: અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ અને અમદાવાદ-પટણા સાપ્તાહિક એક્સપ્રેસ ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે

Express Train: ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ મંડલ પર પ્રયાગરાજ સ્ટેશનના મુખ્ય ઉન્નતીકરણ કાર્ય માટે, પ્લેટફોર્મ નંબર 7 અને 8 બંધ રહેશે.

Ahmedabad-Darbhanga Antyodaya Express and Ahmedabad-Patna Weekly Express will run on diverted routes

Ahmedabad-Darbhanga Antyodaya Express and Ahmedabad-Patna Weekly Express will run on diverted routes

News Continuous Bureau | Mumbai

Express Train:  ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ મંડલ પર પ્રયાગરાજ સ્ટેશનના ( Prayagraj ) મુખ્ય ઉન્નતીકરણ કાર્ય માટે, પ્લેટફોર્મ નંબર 7 અને 8 બંધ રહેશે. પરિણામે, અમદાવાદ-દરભંગા અંત્યોદય સાપ્તાહિક એક્સપ્રેસ અને અમદાવાદ-પટણા સાપ્તાહિક એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરેલા માર્ગ પર ચાલશે. આ સમયગાળા દરમિયાન મુસાફરોની સુવિધા માટે આ ટ્રેનોને પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર 2 મિનિટનો અસ્થાયી વિરામ આપવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છેઃ 

Join Our WhatsApp Channel
  1.  3 મે થી 7 જૂન 2024 સુધી અમદાવાદથી ( Ahmedabad ) ચાલનારી ટ્રેન નંબર 15560 અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ ( Ahmedabad-Darbhanga Antyodaya Express ) (6 ટ્રિપ) અમદાવાદથી તેના નિર્ધારિત માર્ગ માણિકપુર-પ્રયાગરાજ-પ્રયાગરાજ રામબાગ-વારાણસીને બદલે માણિકપુર-પ્રયાગરાજ છિવકી-વારાણસી થઈને દોડશે.
  2.  1 મે થી 5 જૂન 2024 સુધી દરભંગાથી ચાલનારી ટ્રેન નંબર 15559 દરભંગા-અમદાવાદ અંત્યોદય એક્સપ્રેસ (6 ટ્રિપ) તેના નિર્ધારિત માર્ગ વારાણસી-પ્રયાગરાજ રામબાગ-પ્રયાગરાજ-માણિકપુરને બદલે વારાણસી-પ્રયાગરાજ છિવકી-માણિકપુર ડાયવર્ટ કરેલા માર્ગ દ્વારા દોડશે.
  3.  28 એપ્રિલથી 9 જૂન 2024 સુધી અમદાવાદથી ચાલનારી ટ્રેન નંબર 19421 અમદાવાદ-પટના સાપ્તાહિક એક્સપ્રેસ (
    Ahmedabad-Patna Weekly Express ) (7 ટ્રિપ) તેના નિર્ધારિત માર્ગ માણિકપુર-પ્રયાગરાજ-પ્રયાગરાજ રામબાગ-વારાણસી- પંડિત દીનદયાળ ઉપાધ્યાય ને બદલે માણિકપુર-પ્રયાગરાજ છિવકી-પંડિત દીનદયાળ ઉપાધ્યાય થઈને દોડશે.
  4.  30 એપ્રિલથી 11 જૂન 2024 સુધી પટનાથી ચાલનારી ટ્રેન નંબર 19422 પટના-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ (7 ટ્રિપ) તેના નિર્ધારિત માર્ગ પંડિત દીનદયાળ ઉપાધ્યાય-વારાણસી-પ્રયાગરાજ રામબાગ-પ્રયાગરાજ-માણિકપુરને બદલે પંડિત દીનદયાળ ઉપાધ્યાય-પ્રયાગરાજ છિવકી-માણિકપુર થઈને દોડશે.

આ સમાચાર પણ વાંચો : Bride kidnapping: લગ્ન સમારોહમાં દુલ્હનનું અપહરણ કરવા આવ્યા લોકો, વરરાજા પર ફેંક્યો મરચા પાવડર; પછી શું થયું? જુઓ આ વીડિયોમાં..

મુસાફરો દોડવાના સમય, માર્ગ, સ્ટોપેજ અને ટ્રેનોની રચના સંબંધિત વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version