News Continuous Bureau | Mumbai
Express Train: ઉત્તર મધ્ય રેલવે ( North Central Railway ) પર પ્રયાગરાજ સ્ટેશનના મેજર અપગ્રેડેશનના કામના સંબંધમાં પ્લેટફોર્મ નંબર 4 અને 05 બંધ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ ( Ahmedabad-Darbhanga Antyodaya Express ) પરિવર્તિત માર્ગ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છે.
- 21 જૂનથી 19 જુલાઈ,2024 સુધી, અમદાવાદ ( Ahmedabad ) થી ઉપડનારી ટ્રેન નંબર 15560 અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ ( Express Train ) તેના નિર્ધારિત માણિકપુર-પ્રયાગરાજ-પ્રયાગરાજ રામબાગ-વારાણસીને બદલે પરિવર્તિત માર્ગ વાયા માણિકપુર-પ્રયાગરાજ છિવકી-વારાણસી- જૌનપુર થઈને દોડશે.આ ટ્રેનને પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર વધારાનો સ્ટોપ આપવામાં આવ્યા છે.
- 19 જૂનથી 24 જુલાઈ 2024 સુધીં દરભંગાથી ( Darbhanga ) ઉપડનારી ટ્રેન નંબર 15559 દરભંગા-અમદાવાદ અંત્યોદય એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ વાયા વારાણસી-પ્રયાગરાજ રામબાગ-પ્રયાગરાજ-માણિકપુર ના બદલે પરિવર્તિત માર્ગ વાયા જૌનપુર-વારાણસી-પ્રયાગરાજ છિવકી-માણિકપુર થઈને દોડશે. આ ટ્રેનને પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર વધારાનો સ્ટોપ આપવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : MIFF : પ્રસિદ્ધ વાઈલ્ડલાઈફ ફિલ્મમેકર શ્રી સુબ્બિયાહ નલ્લામુથુ 18મા MIFF ખાતે વી. શાંતારામ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડના વિજેતા જાહેર
ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને મુલાકાત લઈ શકે છે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.